Abtak Media Google News

મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો

પ્રેમી સાથે  ઝડપાયા બાદ માતાએ ઠપકો આપ્યો ‘તો: લોખંડના પાનાના 17 ઘા ઝીંકયા

જૂનાગઢના ઇવનગરમાં લોહી લુહાણ હાલતમાં મળેલ મહિલાની હત્યાનો ભેદ જુનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે અને પ્રેમમાં પાગલ બનેલી 19 વર્ષીય યુવતીએ જ પ્રેમમાં આડખીલી રૂપ માતાને 17 ઘા મારી ક્રૂર હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

Advertisement

જુનાગઢના ઇવ નગર ગામેથી ગત તા. 27 ના રોજ સવારે આ ગામમાં છેલ્લા સાતેક વર્ષથી રહેતા 35 વર્ષીય દક્ષાબેન ગોવિંદભાઈ બામણીયાની તેમના જ ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં હત્યા કરાયેલી  લાશ મળી આવી હતી. જે અંગે તેના પતિ ગોવિંદભાઈ બામણીયાએ જુનાગઢ તાલુકા પોલીસમાં તેની પત્નીની અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાની  ફરિયાદ નોંધાવતા તાલુકા પી.એસ.આઇ. ગઢવી સહિતના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી બાતમીદારો અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. અને તપાસમાં શંકાસ્પદ જણાતી તેની મોટી  દીકરીની આકરી પૂછપરછ કરતાં મીનાક્ષી ભાંગી પડી હતી, અને તેને તેની માતાની હત્યા કરી હોવાનું કબુલતા પોલીસે આ હત્યા કેસમાં મરનાર દક્ષાબેનની મોટી દીકરી મીનાક્ષીની ધરપકડ કરી છે.

આ ચકચારી હત્યા અંગે જુનાગઢ એસ.પી. રવિ તેજા વાસમ સેટીએ પત્રકારોને જણાવ્યું હતું કે, હત્યામાં પકડાયેલ મીનાક્ષીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને મીનાક્ષી આ યુવકને મળતી હતી ત્યારે અગાઉ એક વખત પકડાયેલ હતી, ત્યારે તેની માતાએ મીનાક્ષીને રોકી હતી. પરંતુ મીનાક્ષી આ યુવકને મળવાનુબી બંધ કરતી ન હતી, ત્યારે બીજી વખત મીનાક્ષી તે યુવકને ફરી મળી ત્યારે તેની માતા દક્ષાબેને ખૂબ ઠપકો આપ્યો હતો.

દરમિયાન, બનાવની રાતે યુવતીના પિતા બહારગામ કામ અર્થે ગયેલ હોય ત્યારે યુવતીનો પ્રેમી તેણીને મળવા માટે આવનાર હતો જેથી મીનાક્ષીએ તેની માતાને ઘેનની દવા પીવડાવી દીધી હતી પરંતુ મીનાક્ષીબેન રાત્રિના સમયે જાગી જતા અને યુવકને ભાડી જતા એ રાતે મીનાક્ષી એ તેની માતાના માથામાં લોખંડના પાના વડે 17 જેટલા ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી.

જુનાગઢ એસ.પી.ના વધુમાં જણાવ્યા અનુસાર પોલીસને શરૂઆતથી જ શંકા હતી કારણ કે બનાવ સમયે ઘરમાં મરનાર દક્ષાબેન તેની મોટી દીકરી મીનાક્ષી, એક દીકરો અને એક નાની દીકરી જ હાજર હતા. જેથી હતયારો ઘરમાં જ હોવાની શંકાએ પોલીસે ઘટના જ લોકોની તપાસ કરી પૂછતાછ કરતા અંતે મીનાક્ષી ભાંગી પડી અને પોલીસને તેણે જ હત્યા કરી હોવાની કબુલાત આપતા તેની ધરપકડ કરવામાં આવી છે.

પ્રેમલીલા છુપાવવા મીનાક્ષીએ રાતે સીસીટીવી બંધ કરી દીધા

જુનાગઢ પોલીસે જણાવ્યા અનુસાર, દક્ષાબેન ની જે રાતે હત્યા થયેલી તે રાતે મીનાક્ષીને તેનો પ્રેમી મળવા આવવાનો હતો. જેથી તેણીના પ્રેમીને માતા ફૂટેજમાં પણ ના જોઈ શકે તે માટે મીનાક્ષી એ રાતે 11:30 વાગ્યા પછી ઘરમાં ફીટ કરેલા સીસીટીવી બંધ કરી દીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.