Abtak Media Google News

જૂનાગઢમાં  મહિલાએ બાળક સહિત ટ્રેન હેઠળ પડતું મુકતા મહિલા અને બાળકોનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા શહેરમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. બીજી બાજુ જુનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા માતા – પુત્રના મોતની મરણ નોંધ નોંધી આ ઘટનાની તપાસ હાથ ધરાઇ છે.

જુનાગઢ થી   ઉપડતી જબલપુર – સોમનાથ ટ્રેન ગઈકાલે ચોબારી ફાટક નજીક પહોંચી હતી ત્યારે એક બાળક સહિત મહિલા ટ્રેન સામે આવી જતા બંનેના ટ્રેન હેઠળ મોત નીપજ્યા હતા. અને બાદમાં આ ટ્રેનને રોકી બંનેના મૃતદેહોને આગળના સ્ટેશન શાપુર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જે અંગે રેલવે પોલીસને જાણ કરાઇ હતી, અને આ બાબતની તપાસ જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાઇ છે.

પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધર્યું

જુનાગઢ નજીકના ચોબારી ફાટક પાસે જબલપુર – સોમનાથ ટ્રેન હેઠળ જે મહિલાનું મોત નિપજ્યું છે તે જુનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતા સોનલબેન હાર્દિકભાઈ જેબલિયા (ઉં.વ. 28) તથા તેમનો નાનો બાળક કૃષ્ણરાજ હોવાનું સામે આવ્યું છે. તથા પોલીસ દ્વારા આ ઘટનાની અમોત અંગેની નોંધ લઇ તપાસ હાથ ધરાઈ છે.

જૂનાગઢમાં ટ્રેન હેઠળ નાના એવા ફુલ સમાન બાળક સાથે મહિલાના થયેલ મોતની જાણ થતા શહેરભરમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.