Abtak Media Google News

પોરબંદર સ્થિત પતિ અને  સાસુ સામે નોંધાતો  ગુનો

જૂનાગઢની પરણિત યુવતીને તેનો પતિ લાગણી કે પ્રેમભાવ સાથેનો સંબંધ ન રાખી, પત્ની સુખ ન આપતો હોવાની સાથે પતિ દ્વારા મારી નાખવાની ધમકી મળતી હોવાની અને સાસુ દ્વારા કરિયાવર મંગાતો હોવાની જુનાગઢ મહિલા પોલીસમાં ફરિયાદ થતા પોલીસે પોરબંદરના યુવક અને તેની માતા સામે ગુમહો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

હાલમાં જૂનાગઢના પ્રણામી મંદીરના ડેલામાં બહાઉદીન કોલેજ રોડ ખાતે રહેતા અને પોરબંદર સાસરું ધરાવતા માનસીબેન વા/ઓ ચીરાગ સુરેશભાઇ શીલુ તે ડો/ઓ અનીલભાઇ રામજીભાઇ રવીયા (ઉ.વ.23) ના સને 2022 માં 402 વ્રજભવન સોસાયટી એરપોર્ટ રોડ છાયા પોરબંદરખાતે રહેતા પતિ ચીરાગ સુરેશભાઇ શીલુ સાથે લગ્ન થયા હતા, પરંતુ લગ્નના એકાદ માસ બાદ થી પરણિત યુવતી  માનસીબેનને પતિ તરફથી કોઇ લાગણી કે પ્રેમભાવ ન હોય અને પતિ તરીકેના સબંધો ન રાખી પત્ની સુખ આપેલ ન હોય  તેમજ કોઇ માન સન્માન પણ આપેલ ન હોય અને પરણિત યુવતી તેના પતિને સ્પર્શ કરે તો, મને તુ ગમતી નથી તેમ કહી પત્નીને ધક્કો મારી, ગાળો બોલી, ઢીકાપાટુનો માર મારી અને યુવતીના સાસુ પણ પોતાના દીકરાનો પક્ષ લઇ અને તેઓ પણ કરિયાવર બાબતે મેણાટોણા મારી શારીરીક માનસીક દુખત્રાસ આપી, પતિ જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાની જુનાગઢ પોલીસમાં માનસીબેન એ ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ ચીરાગ સુરેશભાઇ શીલુ તથા સાસુ જયોતીબેન સુરેશભાઇ શીલુ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.