Abtak Media Google News

બેસવા બાબતે વરરાજાના ભાણેજે ક્ધયાના પિતરાઈ ભાઈને લમઘર્યો

ગોંડલના મોવૈયા ગામે લગ્ન પ્રસંગમાં બેસવા મુદ્દે બઘડાટી બોલી હતી. જાનમાં આવેલા વરરાજાના ભાણેજે ક્ધયાના પિતરાઈ ભાઈને માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના નાના સખપર ગામે રહેતા રણજીત અશોકભાઈ મકવાણા નામનો 25 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે ગોંડલના મોવૈયા ગામે હતો. ત્યારે કુલદીપ નામના શખ્સે ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ હુમલામાં ઘવાયેલા યુવકની મોવૈયા ગામે રહેતી ફઈની પુત્રીના લગ્ન હતા. જેથી રણજીત મકવાણા લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યારે વીંજીવડ ગામનો કુલદીપ વરાડી ગામથી મામાની જાનમાં આવ્યો હતો. જ્યાં જમણવાર વખતે બેસવા મુદ્દે થયેલી બોલાચાલીમાં વરરાજાના ભાણેજ કુલદીપે ક્ધયાના પિતરાઇ ભાઈ રણજીત મકવાણાને માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.