Abtak Media Google News

રાજયમાં અકસ્માતના બનાવ વધતા જાય છે ત્યારે વધુ એક પોલીસકર્મી અકસ્માતનો ભોગ બન્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરેન્દ્રનગરના સાયલા નજીકની છે જ્યાં જુનાગઢના PSIનું કાર અકસ્માતમાં મોત નીપજ્યુ હતું. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ હતી.

શું બની હતી ઘટના ?

જુનાગઢના પીએસઆઈ એ.કે. પરમાર અમદાવાદથી સાઈબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશનની ટ્રેનીંગ પૂરી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને સુરેન્દ્રનગરના સાયલા નજીક અકસ્માત નડ્યો હતો. જુનાગઢ એ ડિવિઝનના પીએસઆઈની કાર પલટી ખાઈ જતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત તેઓ એટલા ગંભીર રીતે ઘાયલ થયા હતા કે તેમનો જીવ બચાવી શકાયો નહિ.

પીએસઆઈ પાછલા ત્રણ દિવસથી અમદાવાદમાં સાઈબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશનની ટ્રેનિંગમાં આવ્યા હતા. ત્યારે સાયલા પાસે તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.આ અકસ્માત માટે કોણ જવાબદાર છે તે મામલે પોલીસ પગલા ભરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.