Abtak Media Google News
  • જેતપુર માવતરે ગયેલી પત્નીને ખાધા ખોરાકીનો કેસ કરતા કર્યો આપઘાતનો પ્રયાસ
જુનાગઢ પાસે આવેલા ખડીયા ગામે રહેતા યુવાને એસિડ પી લેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પત્ની જેતપુર માવતરે ચાલી જઈ ખાધા ખોરાકીનો કેસ કરતા પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના કડિયા ગામે રહેતા અને ગિરનારમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિજય વાલજીભાઈ ડેડાણીયા નામના ૨૩ વર્ષના યુવાને પોતાના ઘરે એસિડ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જ્યાં વિજય ડેડાણીયા પોલીસને જણાવ્યું હતું કે તેની પત્ની ઘણા સમયથી જેતપુર રિસામણે ચાલી ગઈ છે અને ત્યાંથી ખાધા ખોરાકીનો કેસ કર્યો હોવાથી પોતે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.