Abtak Media Google News

છત્રાસા ગામ પાસેથી યુવકનો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો: એક શંકાસ્પદ શખ્સ સામે નોંધાતો ગુનો

જૂનાગઢમાં રહેતા યુવાનનો મૃતદેહ છત્રાસા ગામ પાસે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા બાદ પ્રાથમિક તપાસમાં તેની હત્યા થઈ હોવાનુ જાણવા મળ્યુ હતું. દારૂની બાતમી આપ્યાની શંકાએ યુવાનની હત્યા થઈ હોવાનુ પોલીસ ચોપડે નોંધાયું છે. પોલીસે એક શકમંદ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં ગ્રોફેડ રોડ મીલ સૌભાગ્યવાડી દેવરાજના ડેલા પાસે રહેતા વિજયભાઈ મનસુખભાઈ ચાવડા નામના 21 વર્ષીય યુવાનનો મૃતદેહ છત્રાસા ગામમાં બંટિયા તરફ જવાના રસ્તેથી મૃતદેહ મળી આવતા પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ વિજય ચાવડાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.

આ અંગે પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ગત તા.3 માર્ચના રોજ વિજય ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા પરિવારજનોએ સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતા તેનો મોબાઈલ બંધ આવતો હતો. ત્યાર બાદ પાટણવાવ પોલીસે વિજય ચાવડાનો મૃતદેહ છત્રાસા ગામ બંટિયા ગામ તરફ જવાના રસ્તે મળી આવ્યો હતો.

પોલીસે મૃતદેહ રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી તપાસ હાથધરી હતી. જેમાં મૃતક વિજયની પત્ની રિદ્ધિએ જણાવ્યું હતું કે વિજયના વોટસએપ પર ” દાનાનો ફોન હતો તેને કઈક કામ છે તારું” એવો મેસેજ આવ્યો હતો. દાનાનો દારૂ થોડા દિવસ પહેલા જ પકડાઈ ગયો હોવાથી તે બાતમી વિજય ચાવડાએ પોલીસને આપી હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે શંકાસ્પદ દાના અરજણ કરમટા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.