Abtak Media Google News

ઉઘરાણીના પ્રશ્ર્ને વેપારીને ઉઠાવી મારમાર્યો: ભરવાડ સહિતના શખ્સોએ આચર્યું કૃત્ય

શહેરમાં અપહરણ કરી માર મારવાની ઘટનાએ વેગ પકડયો હોય તેમ કાલાવડ રોડ પરથી વ્યાજની પઠાણી ઉઘરાણીમાં યુવાનનું અપહરણ કરી માર માર્યાની ઘટનાથી પોલીસમાં દોડધામ મચી ગઈ છે.

Advertisement

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગીરનાર સોસાયટીમાં રહેતા અને કાલાવડ રોડ પર મુરલીધર સ્ક્રેપ નામનો ધંધો કરતા સંજયભાઈ છગનભાઈ ઘાડીયા નામના ૩૫ વર્ષના પટેલ યુવાનને કાલાવડ રોડ પરથી નવઘણ ભરવાડ સહિત ચાર શખ્સોએ અપહરણ કરી ખીરસરા નજીક લઈ જઈ માર મારી કાલાવડ રોડ પર મુકી ગયા હતા. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસને જાણ થતા પોલીસને ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી છે.

ઈજાગ્રસ્ત સંજય ઘાડીયાની પુછતાછમાં તેણે મુરલીધર સ્ક્રેપના ધંધા આસ્થા ફાઈનાન્સના સુરેશભાઈ પાસેથી રૂ.૩ લાખ ૫ ટકાના વ્યાજે લીધા હતા. જે રકમ વ્યાજ સહિત ચુકવી દીધા બાદ વધુ રૂપિયા વસુલવા નવઘણ ભરવાડને હવાલો સોંપ્યો હોવાથી અપહરણ કરી માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. પોલીસને અપહરણની વાત ગળે ન ઉભરતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.