Abtak Media Google News

એનસીપીના બે ધારાસભ્યો જયંત બોસ્કી અને કાંધલ જાડેજાએ પણ મત આપ્યા હતા. કાંધલ જાડેજાએ ભાજપના ઉમેદવાર બળવંતસિંહને મત આપ્યો હતો. જ્યારે જયંત બોસ્કીએ કોંગ્રેસના અહમદ પટેલને મત આપ્યો હતો. જોકે, એનસીપીએ બંને ધારાસભ્યોને કોંગ્રેસના અહમદ પટેલ માટે વ્હીપ આપ્યો હતો. ત્યારે કાંધલ જાડેજાએ વ્હીપની વિરુદ્ધમાં જઈને મત આપતાં તેમનો મત કેન્સલ થઈ શકે છે. આ અંગે એનસીપીએ પગલાં લેવાની જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.