રાજકોટ જિલ્લાશિક્ષણ અધિકારી કચેરી (DEO OFFICE) ના નવપ્રસ્થાન- સ્થળાંતર માટે આજે ગુરુપૂર્ણિમાના શુભ દિને કરણસિંહજી હાઈસ્કુલમાં કુંભ સ્થાપન, ગણપતિ તથા સરસ્વતી પૂજન અને આરતી થયા હતા. DEO શ્રી ઉપાધ્યાય સાહેબના સદ્દઆગ્રહથી વિરાણી હાઈસ્કૂલના અધ્યાપક ડો.કૃષ્ણકુમાર (શાસ્ત્રી) મહેતાએ શાસ્ત્રોક્ત પૂજનવિધિ કરી હતી. પૂજાવિધિમાં DEO શ્રી ઉપાધ્યાય સાહેબ, DPEO શ્રી મેહુલભાઈ વ્યાસ, DEO કચેરીના સિનિયર E. I. વિપુલભાઈ મહેતા દંપતિ વગેરે સંમિલિત થયા હતા. આ પ્રસંગે આચાર્ય સંઘના પ્રમુખ સંજયભાઈ પંડ્યા,સિદ્ધરાજસિંહ ઝાલા, ડી.ઇ.ઓ. ઓફિસનો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આગામી દિવસોમાં ડી.ઇ.ઓ.કચેરીનું કરણસિંહજી હાઈસ્કુલમાં સ્થળાંતર થશે.
Trending
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ
- પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષામાં 2.80 લાખ વિધાર્થીઓ હાજર રહ્યા