Abtak Media Google News

સગા સંબંધીની ખબર પૂછી પરત ફરતી વેળાએ મહિલાને કાળ ભેટયો

કેશોદ પાસે આવેલા અજાબ-કરણી પાસે ગઈકાલે બાઈક ચાલકે ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં દંપતી ખંડિત થયું હતુ. અકસ્માતમાં પત્નીને ગંભીર ઈજા થતા તેનું મોત નિપજયું છે. સગા સંબંધીની ખબર પૂછી પરત ફરતી વેળાએ કાળ ભેટયો હોવાનું સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદ તાલુકાના શેરગઢ ગામે રહેતા નાથાભાઈ મકવાણા અને તેમના પત્ની જયાબેન મકવાણા પોતાના બાઈક પર વંથલીતાલુકાના ખોબડા ગામે પોતાના સંબંધીની ખબર પૂછવા ગયા હતા.

ત્યારબાદ ગઈકાલે સાંજના 5 વાગ્યાની આસપાસ દંપતી પરત શેરગઢ ફરી રહ્યા હતા ત્યારે અજાબ-કરણીના વળાંક પાસે બાઈક ચાલકે પાછળથી દંપતીના બાઈકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં ગંભીર રીતે ઘાયલ પત્ની જયાબેનને સારવાર માટે કેશોદ બાદ જૂનાગઢ બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલ બાદ સીવીલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતા જયાબેનનું મોત નિપજયું હતુ. અકસ્માતમાં દંપતી પંડિત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.