Abtak Media Google News

જય વિરાણી, કેશોદ

કેશોદમાં મારમારીની ઘટના બની હતી જેમાં કેશોદ બસ સ્ટેશન નજીક ભરચક વિસ્તારમાં 2 યુવકો પર 20 સખ્શોએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં શાકભાજી વિક્રેતાઓએ શાકભાજી લેવા આવનાર 2 યુવકોને ઢોર માર માર્યા હતા. આ ઘટના કેશોદ બસ સ્ટેશનના ભરચક વિસ્તારમાં થઈ હતી.શાકભાજી લેવા ગયેલા યુવકોની શાકભાજી વિક્રેતાઓ સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ થોડી વારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું.

આ બોલાચાલી બાદ સ્થાનિક વિસ્તારના લારીવાળાઓએ બંને યુવકો પર ઉમટી પડ્યા અને યુવકોને ઢોર માર માર્યા. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગયો હતો અને લોકોના ટોળાં એકઠા થયા હતા. મારામારીની ઘટના બાદ એકઠા થયેલાં ટોળાએ બંને યુવકોને બચાવ્યાં હતા. ભોગ બનનારા યુવકોએ લારીવાળા સખ્શો વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ શહેરમાં અશાંતિનો માહોલ ઊભો થયો હતો, પોલીસે આસપાસની તાલુકા પોલીસની મદદ લીધી છે. મારમારી બાદ રાત્રીના દુકાનો બંધ કરાવી કરફ્યું જેવો માહોલ બસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયો હતો. 2 યુવકો પર હુમલો કરનાર ૨૦ હુમલાખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરીયાદ નોંધી ટોળાને વિખેરવા કાર્યવાહી હાથ ધરી છે.

કેશોદ પોલીસ દ્વારા વિવિધ પાસાઓ તપાસી ત્રણ આરોપી સિંકદરશા નથુશા શાહમદાર ફકીર ઉ વ 25, તૌફીકશા નથુશા શાહમદાર ફકીર ઉ વ 28 રહિમ ઉર્ફે સાંગો, અબુભાઇ સોઢા ઉ વ 24 ની ધરપકડ કરવામાં આવી છે. કેશોદ પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ PI એમ બી ચૌહાણ તથા પોલીસ ટીમ દ્વારા વધું તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.