તાજેતરમાં લોકડાઉન-૪માં એસ.ટી. બસો શરૂ કરવાની મંજૂરી મળતા કેશોદ શહેરની આસપાસના વિસ્તારો જેવા કે, માંગરોળ, જૂનાગઢ, વંથલી, મેંદરડા સહિતના રૂટો એસ.ટી. દ્વારા શરૂ કરવામાં આવેલ છે. પરંતુ હાલમાં કોરોનાના કહેરને કારણે એસ. ટી.ને મુસાફરો નહીં મળતા કેશોદ એસ.ટી. ડેપોને ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. આ રૂટ ઉપર શરૂ કરાયેલા બસોમાં ખૂબ જ પાંખી હાજરી જોવા મળી રહી છે અને લોકો બને ત્યાં સુધી બિનજરૂરી પ્રવાસો કરવાનો ટાળી રહ્યાં છે. અથવા જયા જરૂર હોય ત્યાં પોતાના જ ખાનગી વાહનો દ્વારા પ્રવાસ કરતા એસ.ટી. બસોના તમામ રૂટો ખાલી જઈ રહ્યાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
Trending
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ
- પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષામાં 2.80 લાખ વિધાર્થીઓ હાજર રહ્યા