Abtak Media Google News

એક દિવસના મેગા કેમ્પમાં આશરે ૩૦૦૦ કાર્ડની પ્રક્રિયા હાથ ધરાઈ; કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા, અંજલીબેન રૂપાણી, નરેશભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં

શહેરમાં વસતા લેઉવા પટેલ સમાજના પરિવારો માટે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને રાજકોટ મનપા (આરોગ્ય સમિતિ)ના સંયુક્ત ઉપક્રમે મુખ્યમંત્રીશ્રી મા અમૃતમ્ કાર્ડ ની પ્રક્રિયાના મેગા કેમ્પનું આયોજન ગઈકાલે કરવામાં આવ્યું હતું. સવારે ૮.૩૦ વાગ્યાથી સાંજ સુધી રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પરના નાના મવા મેઈન રોડ પર આવેલા સત્યમ પાર્ટી લોન્સમાંમા અમૃતમ કાર્ડનો મેગા કેમ્પ યોજાયો હતો. જેમાં આશરે ૩ હજાર પરિવારના મુખ્યમંત્રી મા અમૃતમ કાર્ડ માટે ફિંગર પ્રિન્ટ અને ફોટાની પ્રક્રિયા કરવામાં આવી હતી.

Image 4

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ અને રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના વરદ હસ્તે મા અમૃતમ કાર્ડ મેગા કેમ્પનું દિપ પ્રાગટ્ય કરીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજના દરેક વ્યક્તિને સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે માટે  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રયત્ન કરે છે.

આપ્રસંગે રાજકોટ મનપાના ઈન્ચાર્જ મેયર અશ્વીનભાઈ મોલીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, અંજલીબેન રૂપાણી, ભીખાભાઈ વસોયા, દલસુખભાઈ જાગાણી, અજયભાઈ પરમાર, જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, ઉદયભાઈ કાનગડ, જયમીનભાઈ ઠાકર સહિતના મહાનુભાવો પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ હર્ષદભાઈ માલાણી, લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન-વેરાવળ સોમનાથના પ્રમુખ ભોવાનભાઈ રંગાણી, ખોડલધામ ટ્રસ્ટના મંત્રી જીતુભાઈ વસોયા, ઉપપ્રમુખ તુષારભાઈ લુણાગરીયા, સહમંત્રી પ્રણયભાઈ વિરાણી, ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળા સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

“મા અમૃતમ કાર્ડ મેગા કેમ્પમાં એક જ દિવસમાં અંદાજે ત્રણ હજાર પરિવારના કાર્ડ કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. સવારથી સાંજ સુધી આશરે ૧૦ હજાર જેટલા લાભાર્થીઓએ મા અમૃતમ કાર્ડ કાઢવા માટે ફિંગર પ્રિન્ટ અને ફોટાની પ્રક્રિયામાં હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અલગ અલગ ૧૦ વિભાગ પાડવામાં આવ્યા હતા. કોઈ લાભાર્થીને અગવડ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ગોઠવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામ ટ્રસ્ટના રાજકોટ શહેરના વોર્ડ કન્વીનરો, સહ ક્ધવીનરો, સ્વયંસેવકો મળીને કુલ ૩૫૦ જેટલા ભાઈઓ-બહેનોએ સેવા બજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંકલન રાહુલભાઈ ગિણોયાઅને હરસુખભાઈ સોજીત્રા દ્વારા કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.