Abtak Media Google News

તીક્ષણ હથિયારથી ગળુ કાપી મોતને ઘાટ ઉતારી લાશને ફેંકી દીધાની આશંકા 

સીસીટીવીના આધારે મૃતકની ઓળખ અને કારણ જાણવા તપાસનો ધમધમાટ

રંગીલું રાજકોટ હાદસોનું શહેર બન્યું હોઈ તેવા બનાવો પોલીસ ચોપડે નોંધાય રહીયા છે.છેલ્લા એક જ સપ્તાહમાં ચાર ચાર હત્યાની ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. શનિવારે રાત્રે પ્રેમીને પ્રેમિકા સાથે ઝગડો થતા પ્રેમિકાના સગીર પુત્રે પ્રેમીને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો જયારે રવિવારની રાત્રે ઇંડા ખાવા બાબતે હત્યાનો બનાવ સામે આવ્યાની 36 કલાકમાં વધુ એક હત્યાનો બનાવ પોલીસ સામે આવ્યો છે. પરા પીપળીયા ગામ નજીક ભેદી સંજોગોમાં ગળું કપાયેલી હાલતમાં સાધુનો મૃતદેહ મળ્યો છે. જ્યાં માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા હતા.પોલીસે હત્યાની આશંકાએ મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જામનગર હાઇવે પર પરાપીપળીયા ગામ નજીક યુનિવર્સીટી પોલીસની હદમાં કોઈ અજાણ્યા ઈસમ કોથળામાં પેક કરી સાધુ જેવા દેખાતા પુરુષનો મૃતદેહ ફેંકી ગયા હોવાની જાણ થતા યુનિવર્સીટી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે બાદ એસીપી ક્રાઇમ તેમજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સ્થળ પર દોડી ગઇ હતી. જેની તપાસ કરતા કોથળામાં ફેંકી દીધેલ મૃતદેહનું ગળું કાપેલી હાલતમાં જોવા મળ્યો હતો. અને માથાના ભાગમાં તીક્ષણ હથિયારોના નિશાનો જોવા મળ્યા હતા.

રાજકોટ એસીપી ક્રાઇમ ડી.વી.બસિયા એ જણાવ્યું હતું કે, રાજકોટ જામનગર રોડ પર મૃતદેહ મળ્યો છે. માથાના ભાગે પણ ઇજાના નિશાન જોવા મળી રહ્યા છે. હજુ સુધી મૃતકની ઓળખ થવા પામી નથી પરંતુ સાધુ જેવા વેશ જોવા મળી રહ્યો છે જે આધારે આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.

હત્યારા સુધી પહોંચવા CCTV ફૂટેજની તપાસ  

પરા પીપળીયા ગામ નજીક ભેદી સંજોગોમાં ગળું કપાયેલી હાલતમાં સાધુનો મૃતદેહ મળ્યો છે. જ્યાં માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા હતા.પોલીસ દ્વારા હાલ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોર્ટમોર્ટમ કરાવવા ખસેડવામાં આવ્યો છે અને હત્યાની આશંકાએ આસપાસમાં CCTV ફૂટેજ તપાસી અને લાપતા થયેલા સાધુની નોંધ તપાસી મૃતકની ઓળખ મેળવવા અને હત્યારા સુધી પહોંચવા વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કર્યા  છે.

પેરવેશ પરથી સાધુ હોવાનું અને 55 વર્ષીય હોવાનું તપાસમાં ખુલ્યું 

પરાપીપળીયા ગામ નજીક યુનિવર્સીટી પોલીસની હદમાં કોઈ અજાણ્યા ઈસમ કોથળામાં મળી આવ્યાની જાણ થતા યુનિવર્સીટી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.અને તપાસમાં જાણવા મળ્યું હતું કે,પેરવેશ પરથી મૃતક સાધુ હોવાનું અને આશરે ઉંમર 55 હોવાનું માલુમ પડ્યું હતું.જેથી ઓળખ મેળવવા અને વધુ માહિતી જાણવવા માટે મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.