Browsing: sadhu

આ વર્ષે ચાર દિવસના મેળામાં નોમથી જ ભાવિકોનો અવિરત પ્રવાહ આજે ભવનાથના ગ્રાઉન્ડમાં વિક્રમ જનક માનવ મહેરામણ નો મહાસાગર જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો આજે અંતિમ ચરણમાં…

સનાતની સાધુ-સંતો શાસ્ત્રોની સાથે શસ્ત્ર પણ લઇ શકે, વિદેશી સંસ્થાઓ સનાતન ધર્મને ઉખેડી ફેંકવા માંગે છે: પત્રકાર પરિષદમાં સનાતની સાધુ સમાજ આકરા પાણીએ તાજેતરમાં સાળંગપુર ખાતે…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજીત પદ્મશ્રી અભિવાદન અને મારી કલાયાત્રા કાર્યક્રમમાં  700થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હેમંત ચૌહાણ, પરેશ રાઠવા અને મહિપત કવિનું  સન્માન કરાયું ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર,…

બિમાર પત્ની, પુત્રને સાજા કરવાનું કહી પાંચ શખ્સોએ રોકડ અને 83 તોલા ઘરેણાં તફડાવ્યા જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના ખેડૂત સાધુના સ્વાંગમાં આવેલી ઠગ ટોળકીનો શિકાર બન્યા…

ચૈત્ર માસની આયંબિલ ઓળીનો મંગળવારથી પ્રારંભ ચૈત્ર માસની ઓળી પ્રારંભ 28/3/2023,ચૈત્ર સુદ સાતમ , મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ : ચૈત્ર સુદ તેરસ 3/4/2023  આયંબિલ ઓળી પૂર્ણાહૂતિ…

સાધુના સ્વાંગમાં આવેલા ઠગે ગુરુ મહાત્માની કૃપાથી તમને રિધ્ધી સિધ્ધી આપવાનું કહી સાત પેઢી ખાતા ન ખૂટે એટલુ ધન આપવાની લાલચ દઇ વિધીના ખર્ચના બહાને આજી…

ભવનાથના શિવરાત્રી મેળામાં મુર્ગીકુંડમાં શાહી સ્થાન વખતે 1 બાળ સાધુ અને 3 સાધ્વી અને 12 સાધુ મહાત્મા તથા 1 ભક્ત સહીતા કુલ 17 લોકો પાણીમાં ડૂબતા…

જે ધર્મ વિજ્ઞાનને ન સ્વીકારે તે મ્યુઝીયમના પ્રદર્શન જેવો જોવાલાયક બને પણ કોઇ કામ ન લાગે, ધર્મ વિજ્ઞાનનો સ્વીકાર કરે : સંસ્કારી માતા હોય તો ઘર…

ઘવાયેલા મહિલા પીઠાધિશ્વર સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા : તલવારથી હુમલો કરનાર સાધુની બીલખા નજીકથી ધરપકડ જુનાગઢમાં આવનારા દિવસોમાં મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવા બાબતે ગઈકાલે સાધુઓની મિટિંગ…

તીક્ષણ હથિયારથી ગળુ કાપી મોતને ઘાટ ઉતારી લાશને ફેંકી દીધાની આશંકા  સીસીટીવીના આધારે મૃતકની ઓળખ અને કારણ જાણવા તપાસનો ધમધમાટ રંગીલું રાજકોટ હાદસોનું શહેર બન્યું હોઈ તેવા બનાવો પોલીસ ચોપડે નોંધાય રહીયા છે.છેલ્લા એક જ સપ્તાહમાં ચાર ચાર હત્યાની ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. શનિવારે રાત્રે પ્રેમીને પ્રેમિકા સાથે ઝગડો થતા પ્રેમિકાના સગીર પુત્રે પ્રેમીને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો જયારે રવિવારની રાત્રે ઇંડા ખાવા બાબતે હત્યાનો બનાવ સામે આવ્યાની 36 કલાકમાં વધુ એક હત્યાનો બનાવ પોલીસ સામે આવ્યો છે. પરા પીપળીયા ગામ નજીક ભેદી સંજોગોમાં ગળું કપાયેલી હાલતમાં સાધુનો મૃતદેહ મળ્યો છે. જ્યાં માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા હતા.પોલીસે હત્યાની આશંકાએ મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જામનગર હાઇવે પર પરાપીપળીયા ગામ નજીક યુનિવર્સીટી પોલીસની હદમાં કોઈ અજાણ્યા ઈસમ કોથળામાં પેક કરી સાધુ જેવા દેખાતા પુરુષનો મૃતદેહ ફેંકી ગયા હોવાની જાણ થતા યુનિવર્સીટી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે બાદ એસીપી ક્રાઇમ તેમજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સ્થળ પર દોડી ગઇ હતી. જેની તપાસ કરતા કોથળામાં ફેંકી દીધેલ મૃતદેહનું ગળું કાપેલી હાલતમાં જોવા મળ્યો હતો. અને માથાના ભાગમાં તીક્ષણ હથિયારોના નિશાનો જોવા મળ્યા હતા. રાજકોટ એસીપી ક્રાઇમ ડી.વી.બસિયા એ જણાવ્યું હતું કે, રાજકોટ જામનગર રોડ પર મૃતદેહ મળ્યો છે. માથાના ભાગે પણ ઇજાના નિશાન જોવા મળી રહ્યા છે. હજુ સુધી મૃતકની ઓળખ થવા પામી નથી પરંતુ સાધુ જેવા વેશ જોવા મળી રહ્યો છે જે આધારે આગળ તપાસ હાથ ધરવામાં આવી છે. હત્યારા સુધી પહોંચવા CCTV ફૂટેજની તપાસ   પરા પીપળીયા ગામ નજીક ભેદી સંજોગોમાં ગળું કપાયેલી હાલતમાં સાધુનો મૃતદેહ મળ્યો છે. જ્યાં માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા હતા.પોલીસ દ્વારા હાલ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોર્ટમોર્ટમ કરાવવા ખસેડવામાં આવ્યો છે અને હત્યાની આશંકાએ આસપાસમાં CCTV ફૂટેજ તપાસી અને લાપતા થયેલા સાધુની નોંધ તપાસી મૃતકની ઓળખ મેળવવા અને હત્યારા સુધી પહોંચવા વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કર્યા  છે. પેરવેશ પરથી સાધુ હોવાનું અને 55 વર્ષીય હોવાનું તપાસમાં ખુલ્યું  પરાપીપળીયા ગામ નજીક યુનિવર્સીટી પોલીસની હદમાં કોઈ અજાણ્યા ઈસમ કોથળામાં મળી આવ્યાની જાણ થતા યુનિવર્સીટી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.અને તપાસમાં જાણવા મળ્યું હતું કે,પેરવેશ પરથી મૃતક સાધુ હોવાનું અને આશરે ઉંમર 55 હોવાનું માલુમ પડ્યું હતું.જેથી ઓળખ મેળવવા અને વધુ માહિતી જાણવવા માટે મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.