ખોરાક ને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે લાંબો સમયથી લોકો મસાલા નો ઉપયોગ કરે છે. ભારત વિવિધ વાનગીઓ અને મસાલા માટે જાણીતું છે. તમે ખોરાક ને વધુ સ્વાદિષ્ટ અને રસપ્રદ બનાવવા માટે મસાલા નો ઉપયોગ કરો છો પણ ક્યારેય વિચાર કર્યો કે મસાલા ખોરકને કઇ રીતે સ્વાદિષ્ટ બનાવે છે.સાથે સાથે આરોગ્ય માટે કઇ રીતે લાભ આપે છે.

હળદર :

હળદર એ ઘરમાં સૌથી સામાન્ય મસાલો ગણાય છે. તેનો ઉપયોગ ભોજનનો સારો રંગ લાવા માટે ઉપયોગી છે. સ્વાસ્થ્ય દ્રષ્ટિએ શરીરમા થતી બળતરા રોકવા માટે અને અલ્ઝાઇમર રોગ ને અટકાવે છે. અને હડકા ને મજબુત બનાવે છે.

જીરું :

જીરું એ ઘરમાં સૌથી સામાન્ય મસાલો ગણાય છે.વિવિધ વાનગી તૈયાર કરવા માટે ઉપયોગી છે.સાથો સાથ પીડા રાહત, રાહત ઉબકા, પેટનો દુખાવો અને ખેંચાણ, અપચા જેવી બીમારી માટે ઉપયોગી છે.

હિંગ :

હિંગ એ તીવ્ર સ્વાદ સાથે મજબૂત મસાલો પણ છે. અસ્થમા, કફ, શ્વાસનળીનો સોજો અને પાચની સારવાર માટે લાભદાયક છે.

લવિંગ :

લવિંગ ખોરકના સ્વાદ ને વધારે સ્વાદિષ્ટ બનાવેછે. લવિંગ ઔષધીય ગુણધર્મો સાથે તેમના અનન્ય ગુણધર્મો છે.જે લોકો અપસેટ હોય છે તેના માટે  હીલિંગ પ્રક્રિયાનો ગુણધર્મો ધરાવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.