ભૂદેવ સેવા સમિતિ દ્વારા આયોજીત રાજકોટ કા મહારાજા આ વર્ષે કોરોના મહામારીને લીધે દિવાનપરા બ્રહ્મપુરી વાડીમાં સ્થાપન દુંદાળા દેવનું કરવામાં આવ્યું છે. તેના ત્રીજા દવસે મુખ્ય મહેમાનમાં સમસ્ત બ્રહ્મસમાજ, રાજકોટના પ્રમુખ દર્શીતભાઇ જાની, સમસ્ત બ્રહ્મસમાજનું પૂર્વ પ્રમુખ બ્રહ્મદીપના તંત્રી જનાર્દનભાઇ આચાર્ય તેમજ રાજકોટ અને સૌરાષ્ટ્રની સેવાભાવી સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જીજ્ઞેશભાઇ ઉપાઘ્યાયના વરદ હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી. શાસ્ત્રીજી જયભાઇ ત્રિવેદી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મહેમાનોનું સ્વાગત અને પુજા વિધી કરવામાં આવી હતી. તથા મહેમાનોનું સંસ્થાના સ્થાપક તેજસભાઇ ત્રિવેદી દ્વારા ખેસ પહેરાવીને અભિવાદન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા ભૂદેવ સેવા સમિતિના પ્રમુખ તેજસભાઇ ત્રિવેદી દ્વારા નિરજભાઇ ભટ્ટ તથા વિશાલભાઇ ઉ૫ાઘ્યાયના માર્ગદર્શન હેઠળ મીતભાઇ ભટ્ટ, ભરતભાઇ દવે, મનનભાઇ ત્રિવેદી પ્રશાંત ઓઝા, શીરીશભાઇ વ્યાસ, અનિલભાઇ ત્રિવેદી, તથા વિમલભાઇ અઘ્યારુએ જહેમત ઉઠાવી હતી.
Trending
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી
- ચાબહાર પોર્ટ મેળવી ભારત એક કાંકરે અનેક લક્ષ્યો સિદ્ધ કરશે
- યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાના ભાઈનું સાયલા-ચોટીલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત
- વી.વી.પી. કોલેજ દ્વારા કારકીર્દી ઘડતર સેમિનારમાં અપાયું સચોટ માર્ગદર્શન