Abtak Media Google News

ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠીયાએ અનાજ બતાવવાનું કહી કરી કળા

ધ્રાંગધ્રાના રોકડીયા હનુમાન સર્કલ પાસે દુકાનમાં ગઠીયો ગ્રાહક બની આવ્યો હતો ત્યારે વેપારી દુકાનની અંદર અનાજ કાઢી તેને બતાવવા જતાં હતા તે દરમિયાન ગલ્લામાંથી રોકડા રૂપિયા ૧.૪૪ લાખની ઉઠાંતરી કરી જતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રા શહેરના રોકડીયા હનુમાન સર્કલ પાસે હિતેશભાઈ ભરતભાઈ ઠકકર અનાજ કરીયાણાની દુકાન ધરાવે છે. ગ્રાહક બની આવેલા શખ્સે વેપારીને અનાજ બતાવવા કહ્યું આથી વેપારી હિતેશભાઈ દુકાનની અંદર પડેલ અનાજના કોથળામાંથી નમુનો લેવા ગયા હતા. અનાજ લઈ બહાર આવ્યા તે દરમિયાન અનાજ લેવા આવેલો શખ્સ ત્યાં હાજર ન હતો.

આથી વેપારીને શંકા જતાં દુકાનનો ગલ્લો ચેક કરતા તેમાં રહેલા રોકડા ૧.૪૪ લાખ ગાયબ હતા. આથી વેપારીએ ધ્રાંગધ્રા સિટી પોલીસમાં અજાણ્યા શખ્સ સામે રૂ.૧.૪૪ લાખની ઉઠાંતરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ જી.એમ.સોલંકી ચલાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.