શહેરના વોર્ડ નં.૧૧ માં ઘણા સમયથી પાણીની સમસ્યા છે. જેમાં રાજદીણ, મુરલીધર, ભકિતધામ, પ્રિયદર્શન, ન્યુ લક્ષ્મી, જલારામ ઓમનગર, શ્રીહરિ, પુનમ વલ્લભ વિઘાનગર, સોરઠીયા પાર્ક, ભોજલરામ, ન્યુ રાજદીપ ભવાનાથ પટેલનગર આ તમામ સોસાયટીમાં કાયમીને માટે ધીમા ફોસની ફરીયાદ આવે છે. આ વર્ષ સારાં વરસાદ છે તેમ છતાં હજારો ઘર પાણી વગરના છે ત્યારે વોર્ડ નં.૧૧ ના વિસ્તારોમાં પાણી પ્રશ્ર્ને મોટી સંખ્યામાં બહેનો સહીતના સ્થાનીકોએ કોંગી કોર્પોરેટર વસંતબેન માલવી તથા પ્રદેશ મહીલા કોંગ્રી પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં રેલી રુપે આવી ઉગ્ર રજુઆતો કરી હતી આ દરમ્યાન વોર્ડ નં.૧૧ ના કોંગી કોર્પોરેટરો ઘનશ્યામસિંહ જાડેજા, ઉપનેતા વિપક્ષ મનસુખ કાલરીયા, વાજસુરભાઇ ડેર, અશોકસિંહ વાઘેલા, વોર્ડ કોંગી પ્રમુખ કેતનભાઇ તાળા, વિપુલભાઇ તારપરા, પ્રકાશ કેતનભાઇ વાગડીયા, ભરતભાઇ વેજપરા, હરેશ પાંભર, દિનેશ વેજપરા, જેન્તીભાઇ ચોવટીયા, અલ્પાબેન ચોવટીયા, અને રજુઆતો કરી હતી કે વોર્ડ નં.૧૧ માં પાણીની સમસ્યાનું નિવારણ વહેલી તકે થવું જોઇએ નહિતર આવતા સમયમાં પાણી વેરો માફ કરવા જેવી રજુઆતો કરી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ