Abtak Media Google News

ડ્રીલ  મશીનથી છત તોડતી વેળાએ  દુઘટના સર્જાય: આધેડના મોતથી ગામમાં શોક

લોધીકાના  ખીરસરા ગામે આવેલા સ્મશાનના જર્જરીત  રૂમની છત તોડવાની કામગીરી  ચાલી રહી હતી તે વેળાએ  સ્લેબ  ધરાશાયી થતા  ત્રણ લોકો દટાયા હતા  જેમાં એક આધેડનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજયું હતુ. જયારે બેને ઈજા થતા   હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા.

Advertisement

લોધિકા તાલુકા ના ખીરસરા ગામે સ્મશાન ગૃહ ના જુના શેડની સ્લેબ પાડતા અકસ્માત સર્જાયો જેમાં સેવાકીય પ્રવૃતિ માટે આવતા લોકો  માના ત્રણ વ્યક્તિ ઉપર સ્લેબ પાડતા એક વ્યક્તિ નું ધટના સ્થળે મૃત્યુ નામ દિનેશભાઇ મનજીભાઈ વાગડીયા ઉ.વ.45 નું ધટના સ્થળે મૃત્યુ નિપજેલ તેમજ હસુભાઈ બાલાભાઈ વાગડીયા રવિ ધીરૂભાઇ મકવાણા ને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ તેની જાણ ખીરસરા ગામના સરપંચ મુકેશભાઇ મકવાણા તેમજ ઉપસરપંચ ખીમજીભાઈ સાગઠીયા ને થતા તાત્કાલીક ધટના સ્થળે પહોંચી બચાવ કાર્ય હાથ ધરેલ પરંતુ  દિનેશભાઇ મનજીભાઈ વાગડીયા નું ધટના સ્થળે મૃત્યુ નિપજતા નાના એવા ખીરસરા ગામની અંદર શોકનું મોજું છવાઇ ગયેલ દિનેશભાઇ ને સંતાન માં એક દિકરો એક દિકરી છે તેને પિતાની છત્રછાયા ગુમાવી છે ધટનાની તપાસ મેટોડા જીઆઇડીસી પોલીસ ચલાવી રહેલ છે તેમજ ધટના નો પ્રાથમિક રિપોર્ટ ખીરસરા ગ્રામપંચાયત તલાટી મંત્રી બી.ડી.જાડેજા એ તાલુકા વિકાસ અધિકારી લોધીકા ને કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.