Abtak Media Google News

માધવપુરના માધવરાયજીના નિજમંદિરે સૌપ્રથમ વાર મહેર સમાજ દ્વારા ભવ્ય ધ્વજા રોહણ કરવામાં આવ્યુ.તેમાં સવારે 10 કલાકે બ્રહ્મપુરી ખાતે થી કીર્તન કરતા કરતા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. માધવરાયજીના નિજ મંદિરે ધ્વજાનું પૂજન કરીને ધ્વજારોહણ કરવામાં આવ્યુ. રામભાઈ પોલાભાઈ ખૂટી ,સુરેશભાઇ પોલાભાઈ ખૂટી તેમજ ખૂટી પરિવાર દ્વારા ભવ્ય ભોજન પ્રસાદીનું આયોજન કરાયું હતું. ત્યારે બ્રહ્મપુરી ખાતે બહોળી સંખ્યામાં મહેર સમાજ, બાવાજી સમાજ, બ્રાહ્મણ સમાજના લોકોએ પ્રસાદી લીધી હતી

Advertisement

Whatsapp Image 2019 05 02 At 5.59.07 Pmત્યારે બોહળી સંખ્યામાં મહેર સમાજના આગેવાનો, અધિકારીઓ, કુતિયાણા મત વિસ્તારના યુવા ધારાસભ્ય કાંધલ જાડેજા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Image 2019 05 02 At 5.59.07 Pm 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.