Abtak Media Google News

માધવપુર નજીક પાતા ગામ ખાતે સ્વં.રામાભાઈ પૂંજાભાઈ પરમાર, દેવશીભાઈ રામાભાઈ પરમાર, કરશનભાઇ રામાભાઈ પરમાર પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

આજ રોજ 12.15 કલાકે ગિરિરાજ પૂજન તેમજ 5.15 કલાકે રૂક્ષમણિ વિવાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું. કથાવાચક વંદનીય શાસ્ત્રી દિલીપભાઈ દવે બાલાગામ વાળા દ્વારા સવારે 9 થી 12 બોપરે 3 થી 6 શ્રીમદ્ ભાગવત કથાનું વાંચન કરવામાં આવે છે. ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કથાનું રસપાન કરી ધન્યતા અનુભવે છે.ભક્તિવાનો કથા સાંભળીને ભક્તિમાં લીન બન્યા હતા.સાથો સાથ સપ્તાહ દરમિયાન દરોજ કથામૃત પ્રસાદી બપોરે 12 વાગ્યે અને સાંજે 7 વાગ્યે બને ટાઈમ ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યુ. સાથે આજ રોજ રાત્રીના સંતવાણી નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.

Whatsapp Image 2019 05 02 At 5.57.59 Pm 1આ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં પરમાર પરિવાર તેમજ પરમાર પરિવારના આગેવાનો અન્ય નામી આગેવાનો સહિત ભાવિક ભક્તિવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.