Abtak Media Google News

મુખ્યમંત્રી ત્રણ કેબિનેટ મંત્રી અને અનેક ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં આવ્યા હતા

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શીવરાજસિંહ ચૌહાણ કોરોનાની ઝપટે ચડ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ત્રણ કેબિનેટ મંત્રી અને અનેક ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. આ બનાવથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે સવારથી સહેજ તાવ અને ખાંસીની ફરિયાદ હોવાથી તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આજે સવારે રિપોર્ટ પોઝિટિવ આવતાં શિવરાજસિંહે પોતાના સંપર્કમાં આવેલા દરેકને સેલ્ફ ક્વોરેન્ટીન થઈ જવા સુચિત કર્યું છે. ગઈકાલે દિવસ દરમિયાન તેઓ કેબિનેટના ત્રણેક મંત્રીઓ ઉપરાંત કેટલાંક ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા.

મોડી સાંજે ખેડૂતોના એક ડેલિગેશન સાથે તેમની મીટિંગ હતી પરંતુ એ છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.