Abtak Media Google News

સુએઝ ટ્રીટમેન્ટ થકી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ને માસિક 30 લાખ લીટર પાણી અપાશે

રાજકોટમાં વપરાશી પાણી ડ્રેનેજ સિસ્ટમ મારફત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધ કરવામાં આવે છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ થતા ટ્રીટેડ વોટરનો શક્ય તેટલા ક્ષેત્રોમાં પૂન: ઉપયોગ થાય અને તેના પરિણામે ચોખ્ખા પાણીનો શક્ય તેટલો બચાવ થાય તે માટે જ્યાં જ્યાં શક્ય છે ત્યાં ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવેલી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વચ્ચે પાણીના પુન: વપરાશ અંગે કરાર કરવામાં આવેલ. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના માધાપર ખાતે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને તેના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ સંકુલમાં વપરાશ માટે માસિક આશરે 30 લાખ લીટર ટ્રીટેડપાણી આપવામાં આવી રહ્યું છે, તેમ મ્યુનિસિપલ કમિશનરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા વોટર ઓ એન્ડ એેમ   સેલ (ડ્રેનેજ) શાખા હસ્તકહાલમાં કુલ 7 સુએઝટ્રીટમેન્ટપ્લાન્ટકાર્યરત છે, જેની દૈનિક કુલ ટ્રીટમેન્ટ ક્ષમતા 331.5 એમએલડી છે, જેમાં પ્રતિદિન 260 એમએલડી  સુએઝનેટ્રીટ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ આસીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંટ્રીટ થયેલ પાણીને પુન: વપરાશ માટે જેવાકે ગાર્ડન, બાંધકામતેમજ ઔદ્યોગિક એકમોમા ંઉપયોગમાં લઇ શકાય તે અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રીયુઝ પોલીસી બનાવવામાં આવી છે, જેઅન્વયે નિયત થયેલ દરે પાણીના ચાર્જ વસુલીને જળ જથ્થો આપવાની નીતિ અપનાવવામાં આવેલ છે.

મ્યુનિ. કમિશનર  આનંદ પટેલે વધુમાં માહિતી આપતા એમ જણાવ્યું હતું કે  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  ઈશ્વરીયા મહાદેવ સહકારી મંડળી તેમજ આણંદપર પિયત સહકારી મંડળીને ઈરીગેશન (સિંચાઈ) હેતુ માટે આ ટ્રીટ થયેલું પાણી આપવામાં આવે છે. જેમાં ઈશ્વરીયાની મંડળીના 31 સભ્યો 44.59 હેક્ટર ખેતીની જમીનમાં અને આણંદપરની મંડળીના 13 સભ્યો 16.37 હેક્ટર ખેતીની જમીનમાં આ ટ્રીટ થયેલું પાણીની મદદથી કૃષિ પાક લઇ રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ એસટીપી નાટ્રીટ થયેલા પાણીના વધુ પુન: વપરાશ થાય તે અંગે સતત કાર્યરતછે.હાલમાં જ રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વચ્ચે પાણીના પુન: વપરાશ અંગે કરાર કરવામાં આવેલ. આ કરાર અનુસંધાને હાલ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના માધાપર ખાતે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનનેમાસિક 30.00 લાખ લીટર પાણીઆપવામાં આવી રહ્યું છે.ઉપરોક્ત કરારનામા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને ગુજરાત સરકાર વેસ્ટ વોટર રીયુઝપોલીસીના 2025 સુધીમાં 70% વેસ્ટ વોટર રીયુઝના લક્ષ્યાંકને મેળવવામાં સરળતા રહેશે.કમિશનરએ વિશેષમાં ઉમેર્યું હતું કે, હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદાજુદા સેક્ટર જેવા કે ઉદ્યોગો, બાંધકામ, બાગાયત, વગેરેમાં સુએજ ટ્રીટેડ વોટરના પૂન: ઉપયોગ માટે અલગઅલગ સમૂદાયો સાથે બેઠકના આયોજન પ્રગતિમાં છે. દરમ્યાન નાકરાવાડી સ્થિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ માટે સુએજ ટ્રીટેડ વોટરની 12 કી.મી.ની પાઇપલાઈન નાંખવામાં આવી રહી છે, જે પૈકી 8 કી.મી. પાઈપલાઈન બિછાવવાનું કાર્ય પૂર્ણ થઇ ચુક્યું છે.આ પ્રોજેક્ટ માટે 3 એમ.એલ.ડી. જળ જથ્થો આપી શકાશે. આમ સુએજ ટ્રીટેડ વોટરના પૂન: ઉપયોગ વડે રાજકોટ મહાનગરપાલિકા પીવાના શુધ્ધ પાણીનો સારી એવી માત્રામાં બચાવ કરી શકશે. આવનારા દિવસોમા ંટ્રીટેડ વોટરનો પીવા પાણી સિવાય અન્ય હેતુઆ ેમાટ ેઉપયોગ થાય અન ેજેની સામે પીવાલાયક પાણીની શહેરીજનો માટે બચત થઈ શકે તે માટે મ્યુનિસિપલ કમિશનર કક્ષાએ સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષના બજેટ મુજબ ડેડીકેટેડ વોટર મેનેજમેન્ટયુનિટ (જળવ્યવસ્થાપન માટે ખાસ સમર્પિતએ કમ)ની રચના કરવામાં આવેલ છે, જે અંતર્ગત જળ સંચય સેલ કાર્યરત કરવામાં આવી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.