Abtak Media Google News

સાવરકુંડલા ખાતે બાલ્યા વસ્થા થીજ પ્રભુની લગની લાગી અને નાની ઉંમરમાં જ જલારામ બાપા ના મંદિર ની સેવા પૂજા  આરતી કરી  અને છેલ્લા ૫૦ વર્ષ થી જલારામ બાપાના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરનાર જલારામ મંદિર ના મહંત પ.પૂ.શ્રી રમુદાદા માધવાણીના  ૮૩ વર્ષ પૂર્ણ કરી  ૮૪ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરેલ. અને જલારામ મંદિર માં ૧૨ વર્ષ થી સેવા આપનાર સેવક  હિંમત ભાઈ સોમૈયા નો પણ  ૭૧ મો જન્મ દિન હોઈ.

આ પ્રસંગે મંગળા આરતી અને સવારે ૬:૩૦ કલાક થી ૭:૩૦ સુધી મહિલા સત્સંગ નું આયોજન અને બપોરના ૧૨ કલાકે રાજભોગ થાળ જલારામ બાપને ધરવામાં આવેલ અને બપોરના ૪:૩૦ થી ૬:૩૦ કલાક સુધી જલારામ સત્સંગ
મંડળ દ્વારા મહિલા સત્સંગ નું આયોજન  ત્યાર બાદ પૂ.રમુદાદા ના વરદ હસ્તે પ્રસાદી વિતરણ કરાઈ હતી.

આરતી બાદ ૨૫ કિલો ની કેક કાપીને જન્મ દિન ની ઉજવણી  અમદાવાદ થી અલ્પેશ ભાઈ પલાણ અને સુરત થી હરેશ ભાઈ કુંડલીયા સહિત ના રમુદાદા સેવક ગણ દ્વારા ઉત્સાહભેર કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.