Abtak Media Google News

પર્યુષણ મહાપર્વના દિવસો વિતતા જતા હોય પાવન અવસરે વધુ ને વધુ પુણ્ય કમાઇ લેવાની જૈનો દ્રારા એક પણ તક છોડવા માંગતા નથી ભકિત નુ ધોડાપુર ચરમસીમાએ પહોચ્યુ છે. પર્યુષણ પર્વના મહત્વના એવા મહાવીર જન્મ કલ્યાણક ના પાવન દિવસે ત્રિશલા મહીલા મંડળ દ્રારા સવારે નવકાર મહામંત્રના જાપ બપોરે માતા ત્રિશલાને આવેલ ચૌદ સ્વપ્ન અને ભગવાન મહાવીર ને પારણુ લઇ જય બોલો મહાવીરકી ના ગગનભેદી નારા સાથે અબીલ ગલાલની છોળો સાથે રાસ ગરબાની રમઝટ બોલાવતા દેરાસરજીથી ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી જેમા મહીલાઓ સહીત જૈનસમાજ લોકો જોડાયા હતા રાત્રીના પ્રભુની ભાવના રાખવામા આવેલ મહીલાઓમા ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે.

Advertisement

Img 20180911 Wa0016 1536644070142

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.