Abtak Media Google News

સાથોસાથ બારોટ સમાજના અનાદી કવિ ચંદબરદાઈજીની મૂર્તિનું અનાવરણ સંત શાંબદાસબાપુ દ્વારા કરવામાં આવશે

રાજકોટ શહેરમાં યુવા બારોટ સોશ્યલ ગ્રુપ દ્વારા બારોટ સમાજ માટેનીએક પ્રાસંગીક વાડી તથા છાત્રાલયનું તા.૧૪ના મકરસંક્રાંતીના દિવસે મોરારીબાપુના હસ્તે બારોટ સમાજની હાજરીમાં ભવ્યાતીભવ્ય લોકાપર્ણ કરવામાં આવશે સાથે બારોટ સમાજના અનાદી કવિવર મહાકવિ ચંદબરદાઈજીની મૂર્તિનું અનાવરણ પણ બારોટ સમાજના સંત શશાંબદાસબાપુ દ્વારા કરવામા આવશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બારોટ સમાજના નામાંકિત કલાકાર દ્વારા સંતવાણી પીરસવામાં આવશે.

આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતના સંતો મહંતો જેવા કે શેરનાથબાપુ, શંભુપ્રસાદજી ટુડીયા સાંસદ સભ્ય તથા અન્ય સંતો મહંતો તેમજ સાથે સાથે રાજકીય આગેવાનો જેવા કે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા તથા અન્ય રાજકીય આગેવાનો કાર્યક્રમની શોભા વધારશે. સાથે ગુજરાત ભરનો સમગ્ર બારોટ સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા બારોટ સોશ્યલ ગ્રુપના પ્રમુખ કનકભાઈ બારોટ તથા તેમની ટીમ દ્વારા ખૂબજ જહેમત ઉઠાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.