Abtak Media Google News
  •  એકલવાયું જીવન જીવતા વૃદ્ધાને હવસનો શિકાર બનાવી નરાધમે ગળા ટૂંપો દઈ હત્યા કરી ’ તી

બોટાદના પાળીયાદ ગામે બે દિવસ પૂર્વે 81 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ તેમના ઘરે મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં ડિવાયએસપી, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ વૃદ્ધ મહિલાનો મૃતદેહ જોતા કઢંગી હાલતમાં જોવા મળતા તાત્કાલિક મૃતદેહનો કબજો મેળવી ફોરેન્સીક પી.એમ મોકલવામાં આવી હતી. જેમા વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરી ગળુ દબાવી હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થતા પોલીસે તપાસ હાથધરી આરોપીની ઓળખ મેળવી તેના વિરૂદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

બનાવની મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે બસ સ્ટેન્ડ સામે માતાજીના મઢ પાસે રહેતા ધનીબેન મોહનભાઈ મીતલિયા નામના 81 વર્ષીય વૃદ્ધા જે એકલા જ રહેતા હતા અને તેમના પરિવારજનો બહાર ગામ રહે છે. ત્યારે તા 3 જુનના રોજ 3 ધનીબેન મેતલીયાનો મૃતદેહ તેમના જ ઘરેથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં ડીવાયએસપી, એલસીબી, એસઓજી, પીઆઈ સહિતનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ વૃદ્ધ મહિલાનો મૃતદેહ જોતા કઢંગી હાલતમાં જોવા મળતા તાત્કાલિક ડેડ બોડીનો કબજો મેળવી ફોરેન્સીક લેબમાં મોકલવામાં આવી હતી.

આ ફોરેન્સિક રિપોર્ટમાં દુષ્કર્મ આચરી ગળુ દબાવી હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો હતો. હાલમાં પાળીયાદ પોલીસે તપાસ કરતા આ જધન્ય કૃત્ય હરેશ વેલશીભાઈ ગાબુએ કર્યા હોવાની માહિતી મળતા પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસનો દોર શરૂ કર્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.