Abtak Media Google News

પશ્ર્ચિમ કચ્છના માનકૂવા નજીક આવેલા મિરજાપરના યુવક ઘરેથી લગ્ન પ્રસંગમાં ગયા બાદ સુખપર-નાગથડા રોડ પરથી તિક્ષ્ણ હથિયાર અને બોથર્ડ પદાર્થથી હુમલો કરી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવ્યાબાદ માનકૂવા પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું અને અડધો ડઝન જેટલા શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.

લગ્ન પ્રસંગમાં ગયા બાદ સુખપર-નાગથડા રોડ પરથી તિક્ષ્ણ હથિયાર અને બોથર્ડ પદાર્થથી હુમલો કરી હત્યા કરાઇ: હત્યાના ગુનામાં સંડોવાયેલા અડધો ડઝન શખ્સોની અટકાયત

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મિરજાપર ગામે રહેતા દિનેશ ઉર્ફે સુનિલ ઓસમાણ કોલી નામના 23 વર્ષના યુવક ગુરુવારે ઘરેથી લગ્ન પ્રસંગમાં જવાનું કહીને નીકળ્યા બાદ પરત ઘરે ન આવતા તેની શોધખોળ પરિવાર કરી રહ્યા હતા તે દરમિયાન સુખપર અને નાગથડા રોડ પરથી તિક્ષ્ણ હથિયાર અને બોથર્ડ  પદાર્થથી હુમલો કરી હત્યા કરાયેલી લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. માનકૂુવા પોલીસ મથકના પી.આઇ. પટેલ અને પીએસઆઇ બ્રહ્મભટ્ટની તપાસ દરમિયાન મૃતક દિનેશ ઉર્ફે સુનિલ પરિણીત હોવાનું એક  પુત્રીનો પિતા છે. તેને પ્રેમ પ્રકરણના કારણે તેના ગામમાં અદાવત ચાલતી હોવાની મળેલી બાતમીના આધારે હત્યાના ગુનામાં સંડોવાયેલા મનાતા છ જેટલા શખ્સોની અટકાયત કરી સઘન પૂછપરછ હાથધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.