Abtak Media Google News

જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લાના વિજ પ્રશ્નો અંગે પીજીવીસીએલ અને જેટકોના અધિકારીઓ સાથે ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગરના સર્કિટ હાઉસ, લાલ બંગલા ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પાવર પ્રેજન્ટેશન દ્વારા જીઇબી અને જેટકો દ્વારા થયેલ કામગીરી અને હવે પછી થનાર કામગીરીની રૂપરેખા દ્વારા મંત્રીશ્રીએ વિસ્તૃત માહિતી મેળવી હતી.

આ તકે મંત્રીશ્રીએ સરકારશ્રીની વિવિધ વિજ યોજનાઓનો લાભ વહેલામાં વહેલો કઇ રીતે લાભાર્થીઓ સુધી પહોચાડી શકાય તે માટેનું સઘન આયોજન થાય તે બાબત ઉપર ભાર મુક્યો હતો.

જામનગર અને દેવભૂમિદ્વારકા બન્ને જિલ્લામાં દરીયાકાંઠાના વિસ્તાર હોય આ વિશિષ્ટ પરિસ્થિતિ માટે જે તે વિસ્તારના પ્રશ્નો હલ કરવા ચર્ચા કરવામાં આવેલ હતી.

આ બેઠકમાં જેટકોના મેનેજીંગ ડિરેક્ટરશ્રી ચૌહાણ તથા ચીફ એન્જીનિયરશ્રી મહેશ્વરી, પીજીવીસીએલના ચીફ એન્જીનિયરશ્રી ગાંધી તેમજ તમામ ચીફ એન્જીનિયરશ્રી અને કાર્યપાલક ઇજનેરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.