Abtak Media Google News

૪ હજારથી વધુ વિદ્યાર્થીઓને ૧૦ ફુલ સ્કેપ નોટબુકનો સેટ વિનામૂલ્યે વિતરણ: ગુ.ક્ષ.ક. જ્ઞાતિ સમસ્તના કાર્યાલયે મીટીંગ યોજાઈ

ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત દ્વારા આયોજીત મેગા સરસ્વતી સન્માન સમારોહ ૨૦૧૮નું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જ્ઞાતિ સમસ્તના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીની અધ્યક્ષ સ્થાને તાજેતરમાં ગોપીનાથ કોમ્પલેક્ષ, ગાયત્રીનગર મેઈનરોડ પર આવલે જ્ઞાતિ સમસ્તના કાર્યાલયે મીટીંગ મળી હતી. જેમાં જ્ઞાતિ સમસ્તના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ મીટીંગમાં મુખ્ય એજન્ડા જ્ઞાતિ સમસ્ત દ્વારા યોજનારા મેગા સરસ્વતી સન્માન સમારોહ બાબતે સમિતિની રચના કરવી તથા ધો.૧ થી કોલેજ કાળ સુધીનાં વિદ્યાર્થીઓનાં ઈનામને યોગ્ય માટે ટકાવારીના માપદંડો નકકી કરવાનો હતો.

જેમાં ધો.૧ થી ૪માં ૯૦% ધો.૫ થી ૭માં ૮૦% ધો. ૮,૯માં ૭૦% ધો.૧૦,૧૧ અને ૧૨માં ૬૫% તથા કોલેજકાળમાં બેચલર ડીગ્રીમાં ૬૦% અને માસ્ટર્સ ડીગ્રીમાં ૫૨ આવેલ હોય અથવા તો તેનાથી વધારે ટકાવારી હોય તેવા વિદ્યાર્થીઓ ઈનામ તથા વિનામૂલ્યે ચોપડા મેળવવા પાત્ર યોગ્ય છે. તેવું ગુર્જર ક્ષત્રીય કડિયા જ્ઞાતિ સમસ્ત દ્વારા સર્વાનુમતે નકકી કરવામાં આવ્યું હતુ.

ગુર્જર ક્ષત્રીય કડિયા જ્ઞાતિ સમસ્તના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીએ ઉદબોધનમાં જણાવ્યું હતુ. કે કડિયા જ્ઞાતિના દિકરા-દિકરીઓની અંદર શિક્ષણનો વ્યાપ વધે તેની હાલના સંજોગોમાં ખૂબજ જરૂરી છે. શિક્ષણ દરેક સમાજનો મુળભૂત અધિકાર છે. આવતા દિવસોમાં જ બાળકો, યુવાનો શિક્ષીત હશે.

દિક્ષિત હશે અને સંગઠીત હશે તેઓની જ આવતી ૨૧મી સદીમાં સામાજીક રીતે આર્થિક રીતે તેમજ રાજકીય રીતે ગણના થશે માટે આપણા સમાજમાં તેમજ ઓબીસી, એસસી એસ.ટી. સમાજમાં પણ શિક્ષણની ખૂબજ આવશ્યકતાઓ છે. વિદ્યાર્થી દિકરા દિકરીઓની અંદર શિક્ષણનો વ્યાપ વધતા જ તેઓની પોતાની વિચાર શકિત અલગથી ખીલી ઉઠશે. તેમજ હાલના પ્રવાહી માહોલની અંદર પણ અાપણાદિકરા દિકરીઓ કોઈ પણ નેતાઓનાં અથવા તો સામાજીક આગેવાનોની ખોટી કોઈ વાતમાં આવી દોરવાઈ નહિ જાય પોતાની સ્વતંત્ર નિર્ણયો લેવાની ક્ષમતાઓ વધશે.

આવેલી માર્કસીટોમાથી દરેક ધોરણમાં જે વિદ્યાર્થી પ્રથમ ૧,૨ અને ૩ નંબર પર હશે તેઓને શીલ્ડ એનાયત કરવામાં આવશે તથા અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવશે. તેવું સર્વાનુમતે નકકી કરાયું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુર્જર ક્ષત્રીય કડિયા જ્ઞાતિ સમસ્તની કારોબારી સમિતિ તેમજ શ્યામવાડી ટ્રસ્ટની કારોબારી સમિતિ, તેમજ વિદ્યાર્થી મંડળની સંપૂર્ણ સમિતિ, તેમજ વિદ્યાર્થી બોર્ડીંગની સંપૂર્ણ સમિતિ તેમજ આ સિવાયના વડીલો તથા નવયુવાનોનો સમાવેશ કરી ૨૧ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં સભ્યો નરેન્દ્રભાઈ એમ. સોલંકી, નરશીભાઈ સવાણી, જગદીશભાઈ મનાણી, કિશોરભાઈ પરમાર, મનસુખભાઈ ટાંક, જગદીશભાઈ વાઘેલા, કિરીટભાઈ રાઠોડ, હમેરાજભાઈ કાચા, ડી.પી. રાઠોડ, ચીમનભાઈ મા‚, રમણીકભાઈ પરમાર, જયંતીભાઈ કાચા, ભાવીનભાઈ ચોટલીયા, દામજીભાઈ ચોટલીયા, હરસુખભાઈ ચોટલીયા, હસમુખભાઈ ગોહેલ, જે.કે. ગાગાણી, રાજુભાઈ કાચા, તેજશભાઈ ગાંગાણી, નયનભાઈ વાઘેલા, નરેન્દ્રભાઈ રાઠોડ સહિતના કાર્યરત છે.

જ્ઞાતિ સમસ્તના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીની અધ્યક્ષતામાં આ મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતુ કાર્યક્રમની તારીખ તથા વિદ્યાર્થીઓ પાસેથી માર્કસીટ લેવાનો સમયગાળો તથા તેમની તારીખ આગામી યોજાનાર મીટીંગમાં નકકી કરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયુંં છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.