ઉપલેટા નગરપાલિકા સંચાલીત તાજેતરમાં યોજાયે નગર પ્રાથમીક શિક્ષણ સમીતીની ચુંટણીમાં સામાન્ય બેઠક ઉપરથી ભરત રાણપરીયા બીન હરીફ ચુંટાઇ આવતા તેનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું હતું.નગર પ્રાથમીક શિક્ષણ સમીતીની યોજાયેલ ચુંટણીમાં બીન હરીફ વિજેતા થનાર ભરત રાણપરીયાનું સ્વામી નારાયણ ગુરુકુળ ખિરસરા સ્વામી નારાયણ ગુરુકુળ ખિરસરા સ્વામી નારાયણ ક્ધયા ગુરુકુળ જામટીંબડી દ્વારા બન્ને સંસ્થાના પ્રમુખો સ્વામી શાસ્ત્રી નારણદાસજી સ્વામી, ધર્મસ્વરુપ દાસજી સ્વામી, ક્રિષ્નાગ્રુપ દ્વારા ભાવેશભાઇ સુવા, મયુરભાઇ સુવા, રાજભાઇ સુવા, વિક્રમસિંહ સોલંકી, જગુભાઇ સુવા, મધર્સ પ્રાઇડ સ્કુલ વતી સંસ્થાના ડાયરેકટર ગજેન્દ્રસિંહ વાળા, પ્રિન્સીપાલ વૈશાલીબેન ખોડલધામ ચોક તરફથી હરસુખભાઇ સોજીત્રા સહીત સંસ્થાઓએ શાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માન કરાયું હતું. આ તકે ધારાસભ્ય લલીતભાઇ વસોયા, પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઇ ઝાલાવડીયા, આહીર સમાજના પ્રમુખ પ્રવીણભાઇ, બ્રહ્મસમાજના પ્રદીપભાઇ જોશી સહીત હાજર રહેલ હતા.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા