Abtak Media Google News

નીતિન ભારદ્વાજ, કમલેશ મિરાણી, ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી સહિતનાં અગ્રણીઓની ઉપસ્થિતિ

રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજયમાં તા.૬ જુલાઈથી ૧૧ ઓગસ્ટ સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા વૃદ્ધિ અભિયાનનું આયોજન કરાયું છે. તે અંતર્ગત શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, સંગઠન પર્વનાં ઈન્ચાર્જ વિરેન્દ્રસિંહ ઝાલાનાં માર્ગદર્શન હેઠળ વોર્ડવાઈઝ મુખ્ય બજારો, જાહેર સ્થળો, શાળા-કોલેજ, હોસ્ટેલ જેવા વિવિધ સ્થળો પર સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે લોકોમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારાનો વ્યાપ વધે તે હેતુથી શહેર ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ નિલેશ જલુ, મહામંત્રી સોમભાઈ ભાલીયા વગેરેએ કોઠારીયા રોડ હનુમાન મંદિર પાસે, મવડી ચોકડી, રૈયા રોડ ખાતે સદસ્યતા અભિયાન યોજવામાં આવ્યું હતું. ઉપરાંત ભાજપ અનુસુચિત જાતિ મોરચાનાં પ્રમુખ ડી.બી.ખીમસુરીયા, મહામંત્રી નાનજીભાઈ પારઘી, પ્રવિણ ચૌહાણની આગેવાનીમાં રાજનગર ચોક અને ચુનારાવાડ ખાતે જયારે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, મહામંત્રી કિશોર રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં યુવા મોરચા પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળાની આગેવાનીમાં સંકલ્પ સિદ્ધિ હનુમાન મંદિર તેમજ બાલાજી મંદિર ખાતે, ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન ‚પાણીનાં માર્ગદર્શન હેઠળ મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખની આગેવાનીમાં હેમુગઢવી હોલ ખાતે સદસ્યા અભિયાન યોજવામાં આવ્યું હતું.

Advertisement
Membership-Campaign-Was-Organized-By-Various-Fronts-Of-The-City-Bjp
membership-campaign-was-organized-by-various-fronts-of-the-city-bjp


© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.