Abtak Media Google News

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એસ્સાર પેટ્રોલ પંપ નજીક ગત મોડીરાતે દલિત યુવાનની અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાની અને એક યુવાન પર ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. હત્યા કોને અને શા માટે કરી તે અંગેની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એસ્સાર પેટ્રોલ પંપ નજીક દલિતવાસમાં રહેતા અજીત ગોરધનભાઇ પરમાર નામના 23 વર્ષના દલિત યુવાન અને લીલાપર રોડ પર રહેતા હુસેન ફકરૂદીન હોથી તાજપર રોડ પર આવેલા ફકરી પાન પાસે અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અજીત પરમાર અને હુસેન હોથીને ગંભીર હાલતમાં સારવાર માટે મોરબી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં અજીત પરમારનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો અને હુસેન હોથીને બેભાન હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હુસેન હોથી ભાનમાં આવ્યા બાદ તેના પર કોને અને શા માટે હુમલો કર્યો તેમજ હત્યા કરી તે અંગેની વિગતો મેળવવા મોરબી બી ડિવિઝન પી.એસ.આઇ. સોનારા સહિતના સ્ટાફે મૃતકના સગા સંબંધીઓની પૂછપરછ હાથધરી છે. તેમજ ઘટના સ્થળના સીસીટીવી ફુટેજ મેળવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.