Abtak Media Google News

મોડીરાત્રે લાઉડ સ્પીકરનો ઉપયોંગ ન કરવા અને ટ્રાફીકની વ્યવસ્થા જાલવવા એસ.પી. રાહુલ ત્રિપાઠીની અપીલ

આગામી 31″ ડિસેમ્બર ના રોજ ઉજ્જવણી થનાર હોય જે અનુસંધાને મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે   પોલીસ દ્વારા  આયોજન કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, આગામી 31 ડિસેમ્બરની ઉજ્જવણી તમામ પ્રજાજનો શાંતિપુર્વક અને ટ્રાફીકને અડચણરૂપ ન થાય તે રીતે તેમજમોડી રાત્રીના સમયે લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરવા અપીલ કરેલ છે,

આજુબાજુમાં કોઇ કેફી દ્રવ્યનું સેવન, વેચાણ કે હેરાફેરી થતી હોય તો તુરત પોલીસ કંટ્રોલરૂમ નો અથવા

નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો તથા આજુબાજુના એરીયામાં કોઇ અસામાજીક તત્વો કોઇ પણ જાતની હેરાનગતી કે ટોળાશાહી કરતા હોય સુલેહ શાંતિનો ભંગ કરતા હોય તો તુરત જ પોલીસ કંટ્રોલરૂમનો અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો, માહીતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.