Abtak Media Google News

૨૦ દિવસ થઈ ગયા હોવા છતાં બી.ડિવિઝન પોલીસ દ્વારા સંતોષકારક જવાબ પણ નથી અપાયો : યોગ્ય કરવા સ્વયમ સૈનિક દળની માંગ

મોરબીના રોહિદાસપરામાં રહેતા હરેશભાઇ ચાવડા ગુમ થયાને ૨૦ દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ સંતોષકારક તપાસ કરવામાં આવી નથી. જેને લઈને સ્વયમ સૈનિક દળે એસ.પી.ને રજુઆત કરી યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠાવી છે.
સ્વયમ સૈનિક દળે એસ.પી.ને રજુઆતમાં જણાવ્યું હતું કે રોહિદસપરામાં રહેતા હરેશભાઇ બાબુભાઈ ચાવડા ગત તા.૧૭ મેં ના રોજ ગુમ થયા હતા. જે અંગેની ફરિયાદ બી. ડિવિઝન પોલીસ ખાતે નોંધાવવામાં આવી હતી. ગુમ થયાને ૨૦ દિવસ થયા હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.
વધૂમાં જણાવ્યું કે પરિવારે પોતાની રીતે તપાસ કરતા હરેશભાઈનું બાઈક અને પાકિટ મળેલ છે. પરંતું હરેશભાઈનો કોઈ પતો મળ્યો નથી. બી.ડિવિઝન પોલીસ દ્વારા તપાસ અંગેનો કોઈ સંતોષકારક જવાબ પણ મળ્યો નથી. ઉપરાંત ત્યાંથી આજ સુધીમાં એફઆરઆઈની નકલ પણ આપવામાં આવી નથી. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.