Abtak Media Google News

ટ્રાફિક સમસ્યા માટે જાણીતું એવું મોરબીના નવલખી ફાટક જો કે ઓવર બ્રિજ બની જતા લોકોને આ ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળી હતી.

Advertisement

પરંતુ આ નવલખી ફાટક નંબર 36 ને કાયમી ધોરણે બંધ કરવાનો રેલવે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ નવલખી ફાટક નં.36 હવેથી કાયમી ધોરણે બંધ રહેશે. ફાટક મુક્ત અભિયાન અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ ઓવર બ્રિજ ન હોવાના કારણે વાહન ચાલકોને અન્ય કોઈ રસ્તાનો વિકલ્પ ન હોય જેથી અત્યાર સુધી ફાટક બંધ કર્યું ન હતું જોકે હવે ઓવર બ્રિજ બની જતા રેલવે તંત્ર દ્વારા તમામ પ્રકારની મંજૂરીઓ મેળવીને આ ફાટક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. ફાટકને ફરી શરૂ કરવા આજુબાજુના વિસ્તારવાસીઓએ રજૂઆત કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.