સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિમલ રીચર્સ સોસાયટી ફોર એગ્રો બાયોટેક સાથે તા.૧૯ નવેમ્બરનાં રોજ એમઓયુ કરવામાં આવ્યા હતા. આ એમઓયુ સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં રજીસ્ટર રમેશ પરમાર તથા વિમલ રીચર્સ સોસાયટી તરફથી ડો.મનિષ વેકરીયા અને ડો.વિરેન્દ્ર પટેલે હાજરી આપીને એમઓયુમાં સહી કરી હતી. વિમલ રીચર્સ સોસાયટી સંસ્થામાં કિરલીયન ફોટોગ્રાફી, બાયોફ્રોટોન ઈમીશન, પ્લાન્ટ ટીસયુકલ્ચર, મેડીસનલ પ્લાન્સ તથા દરીયાઈ લીલ જેવા વિષયો ઉપર સંશોધન માટેની વિશાળ પ્રયોગશાળા ધરાવે છે. આ સંસ્થા ભારત સરકારનાં સાયન્સ એન્ડ ટેકનોલોજીનાં વિભાગ સાથે માન્યતા ધરાવતી સંસ્થા છે. તેનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓને આધુનિક અને નવી અદ્યતન રીચર્સ ફેકલ્ટીથી અવગત કરવા અને પ્રોત્સાહન પુરુ પાડવાનો છે. આ એમઓયુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિવિધ વિભાગનાં વિદ્યાર્થીઓને સંશોધનકાર્ય કરવા માટેની વિશાળ તકો ઉભી થશે. આ એમઓયુ સમયે બાયોસાયન્સ ભવનનાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અને સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમનાં અંતે પ્રોફેસર એસ.પી.સિંગ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
Trending
- ગોલ્ડી બ્રારની હત્યાની અફવાઓ પર પૂર્ણવિરામ
- ગુરુવારે કરો આ ઉપાયો, પ્રગતિના માર્ગ ખુલશે અને આર્થિક તંગી દૂર થશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક