Abtak Media Google News

સ્થાનીક અધિકારીઓની મનમાની સામે રેલવે મંત્રીને કરેલી રજૂઆતનું પરિણામ મળ્યા

રાજકોટ મહાનગરપાલિકા અને રેલ્વેના સાંકળતા જુદાજુદા મુદાઓ અંગે સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને મિટીંગનું આયોજન કરાયુ હતું. આ મિટીંગમાં મેયર ડો.પ્રદિપ ડવ, મ્યુનિ.કમિશ્નર અમિત અરોરા, રાજકોટ અને ભાવનગરના રેલ્વે વિભાગના ડી.આર.એમ.ની ઉપસ્થિતિમાં જુદાજુદા રેલ્વે ક્રોસિંગ, ઓવરબ્રિજ/અન્ડરબ્રિજ, ફાટક પહોળું કરવા લક્ષ્મીનગર અન્ડરબ્રિજથી ગોડાઉન રોડ 24 મીટરનો કરવા વગેરે બાબતોએ ચર્ચા કરવામાં આવી હતી.

સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા ચાલુ સપ્તાહમાં જ દિલ્હી ખાતે રેલ્વે વિભાગના મંત્રી અશ્ર્વિની વૈષ્ણવને રજુઆત કરવામાં આવેલ. જેમાં, લક્ષ્મીનગર અન્ડરબ્રિજથી ભક્તિનગર રેલ્વે સ્ટેશન, ગોડાઉન રોડ 9 મીટરમાંથી 24 મીટર કરવા માટે રેલ્વેની આવેલ જમીન ફાળવવા દિલ્હીમાંથી રેલ્વે મંત્રાલયમાં સુચના આપવામાં આવી હતી.

(લક્ષ્મીનગર અન્ડરબ્રિજ)થી ભક્તિનગર રેલ્વે સ્ટેશન જતો ગોડાઉન રોડ હયાત 9 મીટરનો છે. આ રોડને 24 મીટરનો પહોળો કરવા માટે રેલ્વે વિભાગની 15 મીટર જેમાં, 50 ફૂટ પહોળાઈ અને 300 મીટર જમીન કપાત કરી 24 મીટરનો બનાવવામાં આવશે. આ રોડ બનતા નાગરિકોને આવન જાવન તેમજ રેલ્વે સ્ટેશન આવન જાવન કરતા નાગરિકોને સુગમતા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.