Abtak Media Google News

પુરાવાનો નાસ કરવા હત્યાઓએ લાશને માટીના ઢગલામાં દાટી દીધી

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે માટેલ ગામ તરફ જવાના રસ્તે કોઇ અજાણ્યા શખ્સોએ યુવાનની હત્યા કરી લાશને ધુળના ઢગલામાં દાટી દઇ પુરાવાનો નાશ કરવાની કોશીષ કર્યાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.

Advertisement

બનાવ અંગેની વિગત મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામે માટેલ ગામ તરફ જવાતા રસ્તે આવેલ જેટકો જીઇબીના સબ સ્ટેશન પાસે ધુળના ઢગલામાં કોઇ અજાણ્યા યુવાનની લાશ દાટેલી હોવાની જાણ પોલીસને કરવા માં આવતા વાંકોનર તાલુકા પોલીસ મંથકના પીએસઆઇ બી.ડી. પરમાર અને રાઇટર જીતુભાઇ સહીતનો પોલીસ કાફલો ધટના સ્થળે દોડી ગયા હતા.

બનાવ બાદ પોલીસે ધુળના ઢગલામાંથી મળેલી હત્યા કરાયેલા યુવાનની લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. પ્રાથમીક તપાસ કરતા મૃતક યુવાન મુળ મોરબી તાલુકાના ખેવાડીયા ગામનો વતની હોવાનું અને તેના પિતા બહાદુરસિંહ ઝાલા (ઉ.વ.૬૦) મોરબી-ર માં આવેલા મહેન્દ્રનગર પ્લોટ વિસ્તારમાં રહેતા હોવાનું અને પ્રાઇવેટ નોકરી કરતા હોવાનું જાણવા મળતા પોલીસે મૃતક યુવાન અનુપસિંહ ઝાલાના પિતા બહાદુરસિંહ ઝાલાની ફરીયાદ નોંધી હત્યારાઓની શોધખોળ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.