Abtak Media Google News

પંચવટી રોડ પર રહેતો કારખાનેદાર યુવક બે દિવસ પહેલા ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો : એકના એક પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી

શહેરમાં પંચવટી મેઇન રોડ પર આવેલા અમૃતા પાર્કમાં રહેતા અને મવડી વિસ્તારમાં ઓઇલ એન્જિન નું કારખાનું ધરાવતા યુવક બે દિવસ પહેલા પોતાના ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો જેની આજ સવારે ન્યારી ડેમ ખાતેથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જાય તેના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે આ યુવકની હત્યા કરવામાં આવી હતી કે તેને આત્મહત્યા કરી છે તે દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

બના અંગેની મળતી માહિતી અનુસાર પંચવટી મેન રોડ પર આવેલ અમૃતા પાર્કમાં રહેતા અને મહુડી વિસ્તારમાં સ્વસ્તિક એન્જિન ઓઇલ નામે કારખાનું ધરાવતા જીગરભાઈ અરવિંદભાઈ સાકરીયા નામના 29 વર્ષીય પટેલ યુવકની આજે વહેલી સવારે ન્યારી ડેમ ખાતેથી લાશ મળી આવતા ચારમાંથી જવા પામી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટાફને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવકના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

જ્યારે આ બનાવમાં પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ યુવક બે દિવસ પહેલા પોતાના ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો જેની આજે ડેમમાંથી લાશ મળી આવી હતી. જેથી પોલીસ આ બનાવની જાણ મૃતકના પરિવારને કરતા તેઓ પીએમ અર્થ દોડી આવ્યા હતા જ્યાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે યુવક તેના માતા પિતાનો એકનો એક પુત્ર હતો અને તેના ત્રણ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.યુવકને કોઈપણ માનસિક ત્રાસ ન હતું છતાં પણ તેને આ પગલું ભર્યું છે કે યુવકની હત્યા કરવામાં આવી છે તે દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.