Abtak Media Google News

રાજયમાં થયેલ ભારે વરસાદની કારણે ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.

આ વિસમ પરિસ્થિતીની સમિક્ષા કર્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર આવી અધિકારીઓ સાથે તત્કાળ મિટિંગ બોલાવી અને પરિસ્થિતી વિષે ચર્ચા કરી અને તેના પર થી ગુજરાત વાસીઓ ને તકલીફ ના પડે તે માટે થઈ અને ગુજરાત માં જેટલા પણ અસરગ્રસ્ત વિસ્તારો છે તેને 500 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. સાથે સાથે દરેક પરિવાર કે જે આ કુદરતી આફતમાં ફસાયેલો છે તે દરેક પરિવાર માટે 2 લાખ રૂપિયા દરેક પરિવાર દીઠ સહાય સ્વરૂપે જાહેર કર્યા હતા આ ઉપરાંત વડાપ્રધાને કહ્યું હતું કે દરેક ગુજરાતી આ પરિસ્થિતીને પહોચી વળવા માટે આગળ આવે અને ગુજરાત ના ભાઈઓ બહેનોની મદદ કરે…

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.