Abtak Media Google News

પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બીમારી બાદ નિધન થયું .આવતીકાલે બપોરે 1 વાગ્યે જામકંડોરણા ખાતે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા કાઢવામાં આવશે. વિઠ્ઠલ રાદડિયાના પાર્થિવદેહને દર્શન માટે આજે જામકંડોરણા ખાતે આવેલા કન્યા છાત્રાયલ ખાતે દર્શન માટે મૂકવામાં આવશે. રાદડિયાનું નિધન થતા વડાપ્રધાન મોદી એ શ્રદ્ધાંજલી આપી હતી.

Advertisement

વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર ટ્વીટ કરી અને વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલી આપી. તેમણે લખ્યું ‘પોરબંદરના પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાનના સમાચાર સાંભળી દુઃખ થયું. ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે. સહકાર, કેળવણી અને રાજકીય ક્ષેત્રમાં પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે. ‘

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.