Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

મની પ્લાન્ટને ઘરની આ દિશામાં રાખવાથી પોઝિટિવિટી વધશે

પૂર્વજોના ફોટાને કઈ દિશામાં રાખવા જોઈએ?

આજનું રાશિફળ: આ રાશિના જાતકોને આર્થિક બાબતો માં સારું રહેશે

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»આજી ડેમમાં ફરી નર્મદાના નીર ઠાલવવાનું શરૂ
Gujarat News

આજી ડેમમાં ફરી નર્મદાના નીર ઠાલવવાનું શરૂ

By ABTAK MEDIA21/06/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

બિપરજોય વાવાઝોડાને કારણે આઠ દિવસ સૌની યોજનાના પાણી બંધ રખાયા બાદ ફરી શરૂ કરી દેવાયા

ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાય તો રાજકોટવાસીઓએ પાણી હાડમારી વેઠવી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત શહેરની જીવાદોરી સમાન આજી ડેમમાં 630 એમસીએફટી વધારાનું પાણી ઠાલવવાનું મંજૂર કર્યું હતું. જે ચાલુ માસના આરંભથી શરૂ પણ કરી દેવાયું હતું પરંતુ બિપરજોય વાવાઝોડાના કારણે વિજળીના ધાંધીયા સર્જાવાથી છેલ્લા એક સપ્તાહથી નર્મદાના નીર આજીમાં ઠાલવવાનું બંધ કરી દેવાયું હતું. જે ગઇકાલથી ફરી શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે કોર્પોરેશનના ઇજનેરી સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આ વર્ષે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ અલગ-અલગ તબક્કામાં સૌની યોજના અંતર્ગત આજી અને ન્યારી ડેમમાં 1710 એમસીએફટી પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 1130 એમસીએફટી પાણી ઠાલવી દેવામાં આવ્યું હતું. ગત સપ્તાહે રાજ્યમાં બિપરજોય વાવાઝોડાના કારણે વ્યાપક નુકશાની સર્જાઇ હતી. વિજ વિક્ષેપના કારણે ગત 13 જૂનથી નર્મદાના નીર ઠાલવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન સ્થિતિ થાળે પડતા ગઇકાલથી ફરી નર્મદાના નીર શરૂ કરવામાં આવ્યા છે.

29 ફૂટે ઓવરફ્લો થતા આજી ડેમની સપાટી 20.50 ફૂટે પહોંચી છે અને ડેમમાં 432 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જે દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ અંદાજે 15 જુલાઇ સુધી ચાલે તેમ છે. જો સમયસર વરસાદ પડશે અને ડેમમાં માતબર પાણીની આવક થશે તો ગમે ત્યારે સૌની યોજનાના પાણી લેવાનું બંધ કરી દેવામાં આવશે. હજુ સરકાર પાસેથી 650થી વધુ એમસીએફટી પાણી લેવાનું બાકી છે. 31 ઓગસ્ટ સુધીનું આયોજન કરી હાલ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

ajidem featured gujarat narmada rajkot SaurashtraNews
Share. Facebook Twitter WhatsApp
Previous Articleનેશનલ હાઈવે પર ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરો: ગૃહમંત્રી અમિત શાહની તાકીદ
Next Article વશરામ સાગઠીયા-કોમલબેન ભારાઇની ઘર વાપસી
ABTAK MEDIA
  • Website

Related Posts

મની પ્લાન્ટને ઘરની આ દિશામાં રાખવાથી પોઝિટિવિટી વધશે

04/10/2023

પૂર્વજોના ફોટાને કઈ દિશામાં રાખવા જોઈએ?

04/10/2023

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023
Add A Comment

Comments are closed.

Top Posts

મની પ્લાન્ટને ઘરની આ દિશામાં રાખવાથી પોઝિટિવિટી વધશે

04/10/2023

પૂર્વજોના ફોટાને કઈ દિશામાં રાખવા જોઈએ?

04/10/2023

આજનું રાશિફળ: આ રાશિના જાતકોને આર્થિક બાબતો માં સારું રહેશે

04/10/2023

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

મની પ્લાન્ટને ઘરની આ દિશામાં રાખવાથી પોઝિટિવિટી વધશે

પૂર્વજોના ફોટાને કઈ દિશામાં રાખવા જોઈએ?

આજનું રાશિફળ: આ રાશિના જાતકોને આર્થિક બાબતો માં સારું રહેશે

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.