Abtak Media Google News

૧૮ સપ્ટેમ્બરથી ૧૬ ઓકટોબર દરમિયાન મંત્રજાપનો વધુમાં વધુ લોકોને જોડાવા આહવાન

પ.પૂ. સદ્ગુરુદેવ ભગવાન રણછોડદાસજીબાપુનાં ‘માનવ સેવા એજ પ્રભુ સેવા’ના દિવ્ય ઉદેશને ચરિતાર્થ કરીને લોકો સ્વચ્છ રહે ચિતા રહીત રહે માટે સતત પ્રભુપ્રાર્થન અને વિવિધ અનુષ્ઠાનો કરવામાં આવે છે.

એજ ઉદેશથી વિશ્વનાં કલ્યાણ અને શાંતિ માટે તથા લોકોની સુખાકારી અને સ્વચછતા અને શાંતિ રહેએ માટે નવ કરોડ રામ રામ રામરામરામરામ નાં મહામંત્રના જપયજ્ઞનું સુંદર આયોજન પવિત્ર પુરુષોતમમાસમાં (અધિક માસમા)પ.પૂ. સદ્ગુરુદેવ ભગવાન રણછોડદાસજીબાપુની પ્રેરણા અને સંકલ્પ રૂપી તા.૧૮ શુક્રવારથી તા.૧૬-૧૦, શુક્રવાર સુધી આયોજન કરવામાં આવ્યુ છે.

આ આયોજનમાં સર્વપ્રેમીભાઇ બહેનો ગુરુભાઇ-બહેનો ‘રામ રામ રામરામરામરામ’ મંત્રની માળા કરવી અથવા મંત્રનો જાપ કરી અમોને વોટસએપ મેસેજ અથવા ફોન કરીને મોબાઇલ નં.૯૫૮૬૩ ૦૮૧૭૮ તથા ૮૪૬૦૯ ૨૮૫૦૮ ઉપર કરેલ માળા તથા જાપની નોંધ કરાવી લેવી. તથા આ નવ કરોડ મંત્ર જાપ યજ્ઞમાં જોડાવા ધર્મપ્રેમીઓને સદગુરુ સદ્દન ટ્રસ્ટ દ્વારા આહવાન કરવામાં આવ્યુ છે. આ સાથે જે કોઇ ધર્મ પ્રેમી ભાઇ બહેન રામનામના જાપની માળામાં યજમાન તરીકે બેસાડવામાં આવશે. આ અંગેની વધુ માહિતી માટે ૯૫૮૬૩૦૮૧૭૮ તથા ૮૪૬૦૯ ૨૮૫૦૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.