Abtak Media Google News

જેડીયુની એનડીએમાં ઘરવાપસી નિશ્ચિત: ભાજપના ટેકાથી ફરી નીતિશ કુમાર બિહારના સીએમ બને તેવી પણ સંભાવના: બિહારમાં રાજકીય ગતિવિધીઓ તેજ, બેઠકોનો ધમધમાટ

Image 1706300310

નેશનલ ન્યુઝ,

બિહારની રાજનીતિમાં છેલ્લા બે દિવસથી ભારે ચહલ પહલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી પદેથી આજે કોઇપણ ઘડીએ નીતિશ કુમાર રાજીનામુ આપી શકે છે. જેડીયુની એનડીએમાં ઘરવાપસી નિશ્ચિત મનાય રહી છે. ભાજપના ટેકા સાથે નીતિશ ફરી સીએમ બને તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. ભાજપના બે ધારાસભ્યોને બિહારના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે તેવી ચર્ચાઓ પણ હાલ ચાલી રહી છે. આજે બિહારમાં તમામ રાજકીય પક્ષોની બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. નીતિશ કુમારે પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે. જો જેડીયુ એનડીએમાં જોડાશે તો ઇન્ડિયા ગઠબંધનને મોટો ફટકો પડશે.

આર.જે.ડી. અને કોંગ્રેસ સાથે નીતિશ કુમાર છેડો ફાડી નાખવાના મૂડમાં છે. આજે તેઓ ગમે તે ઘડીએ બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દેશે. તેઓ એનડીએમાં ફરી ઘર વાપસી કરશે. આવતીકાલે ભાજપના ટેકા સાથે ફરી બિહારના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરી શકે છે. બિહારની રાજનીતિ પર હાલ દેશભરની મીટ મંડાયેલી છે. જેડીયુની એનડીએમાં વાપસીને લઇ ભાજપ હાઇકમાન્ડ પણ સુપર સક્રિય થઇ ગયું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આથી પક્ષો સાથે બેઠક યોજવામાં આવી રહી છે.

આજે બિહારમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે ભાજપ દ્વારા બપોરે 4 કલાકે તમામ બિહારના સાંસદ, ધારાસભ્યો અને એમએલસી સાથે બેઠક બોલાવવામાં આવી છે. આરજેડી દ્વારા બપોરે 2 કલાકે પટણા ખાતે પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના નિવાસસ્થાને આરજેડીના ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પણ પૂર્ણીયા ખાતે પોતાના ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે.

આજે કોઇપણ ઘડીએ બિહારના મુખ્યમંત્રી પદેથી નીતિશ કુમાર રાજીનામુ આપી શકે છે. આવતીકાલે તેઓ ભાજપના ટેકાથી ફરી બિહારના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરે તેવી સંભાવના નકારી શકાતી નથી. ભાજપ પાસે 78 ધારાસભ્યો છે. જેડીયુના 45 ધારાસભ્યો અને એચએએમના 4 ધારાસભ્યો છે. કુલ સભ્ય સંખ્યાબળ 127નું છે. જે બહુમતી કરતા પાંચ વધુ છે. જેડીયુની એનડીએમાં ઘરવાપસીથી ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગીના સુર પણ જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ ભાજપ સાથે હાથ મિલાવી ફરી સરકાર રચવાના નીતિશના ઇરાદા સામે જેડીયુના 7 થી 8 ધારાસભ્યો પણ નારાજ છે. જે.આર.ડી.ના સંપર્કમાં હોવાનું ચર્ચાય રહ્યું છે.

બિહારની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ભાજપના ટેકાથી નીતિશ કુમાર સરકાર રચશે તો ભાજપના બે ધારાસભ્યોને બે ડેપ્યુટી મુખ્યમંત્રી પદ મળી શકે છે. બિહાર ભાજપ આજે પટનામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજશે કારણ કે નીતિશ કુમાર ફરીથી બીજેપીની આગેવાની હેઠળના એનડીએ તરફ વળવા અંગે સસ્પેન્સ વધી રહ્યું છે. તમામ સાંસદો અને ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને બિહાર પ્રભારી વિનોદ તાવડેની હાજરી પણ જોવા મળશે.

નીતીશ કુમાર ફરી એકવાર ભાજપની આગેવાની હેઠળના એનડીએ સાથે જોડાણ કરી શકે તેવા સસ્પેન્સને કારણે બિહારમાં ઉગ્ર રાજકીય ગરબડ વચ્ચે, રાજ્ય ભાજપની વિસ્તૃત કાર્યકારી સમિતિએ આજે પટનામાં સાંજે 4 વાગ્યે બેઠક બોલાવી છે. તમામ સાંસદો અને ધારાસભ્યોને હડલમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને બિહારના પ્રભારી વિનોદ તાવડે પણ હાજર રહેશે.

ઘણા બીજેપી કાર્યકરો, જોકે, નીતિશ કુમાર સાથેના સંબંધોને પુન:સ્થાપિત કરવાથી નાખુશ છે, જેઓ બાજુ બદલવા માટે જાણીતા છે. ભાજપે રાજ્યની વિધાનસભા ભંગ કરવાનો અને રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ સાથે ચૂંટણી કરાવવાના વિચારને નકારી કાઢ્યો છે કારણ કે પક્ષ માને છે કે લાલુ પ્રસાદ યાદવની પિતા-પુત્રની જોડી અને રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ જેવા પરિબળો અને નીતિશ કુમારની સત્તાવિરોધી ભગવા પાર્ટીની જીત માટે ખતરો પેદા કરી શકે છે.

જેડી(યુ) નેતાઓએ કહ્યું કે તેઓ તેમની પાર્ટીના સુપ્રીમો નીતીશ કુમારમાં વિશ્ર્વાસ રાખે છે અને તેઓ જ્યાં પણ જશે અને જે પણ કરશે ત્યાં તેમની આગેવાનીનું પાલન કરશે.

નીતિશ કુમાર કાલે રવિવારે જનતા દળ (યુનાઈટેડ) અને ભાજપના નવા ગઠબંધનના મુખ્ય પ્રધાન તરીકે શપથ લઈ શકે છે, જેમાં ભાજપના દિગ્ગજ નેતા સુશીલ મોદી તેમના નાયબ તરીકે પાછા ફરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.