Abtak Media Google News

મટન, મચ્છી અને ચિકનનાં વેચાણ કે સ્ટોરેજ પર પણ પ્રતિબંધ

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે આગામી  શનિવારે રાજકોટ શહેરમાં કતલખાના બંધ રાખવા મ્યુનીસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા  જાહેરનામું પ્રસિધ્ધ  કરવામાં આવ્યું છે.

આગામી તા.18શનિવારના રોજ  મહા શિવરાત્રી  નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે  છે. આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવાની રહેશે.  જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ -1949 ની કલમ 329 અને 336 તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.