Abtak Media Google News

દેશમાં ઈન્ટરનેટ ટેલીફોની માટે કેન્દ્ર સરકારની મંજૂરી : બ્રોડબેન્ડ માટે નંબર ફાળવાશે

લેન્ડલાઈન કનેકશન  કે મોબાઈલ નેટવર્ક  ન હોય તેવા સ્ળોએ બ્રોડબેન્ડના માધ્યમી કોલીંગ મહત્વનું બની જશે

સરકારે ઈન્ટરનેટ ટેલીફોનીને અંતે માન્યતા આપી દીધી છે. પરિણામે હવે ઓફિસ કે ઘરે મુકેલા બ્રોડબેન્ડના માધ્યમી લેન્ડલાઈન અને મોબાઈલ પર કોલ થઈ શકશે. હવે મોબાઈલ સીગ્નલ નહીં હોય તો બ્રોડબેન્ડની મદદ લઈ શકાશે.

જે ટેલીકોમ ઓપરેટર્સને ઈન્ટરનેટ ટેલીફોની માટે લાયસન્સ મળ્યું હશે તે ઉપભોગતાને નવો મોબાઈલ નંબર આપશે. જેમાં સીમકાર્ડની જરૂર રહેશે નહીં. આ નંબર ઈન્ટરનેટ ટેલીફોની એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ એકટીવ થઈ જશે. આ પ્રકારની સેવા માટે ટ્રાયને ગત ઓકટોબર મહિનામાં દરખાસ્ત કરવામાં આવી હતી.

દેશમાં કોલડ્રોપની સમસ્યા વધતી હોવાના કારણે નવી કનેકટીવીટી આપવામાં આવે તેવી દલીલ ટ્રાય સમક્ષ થઈ હતી.

ટેલીકોમ કમીશન દ્વારા દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. પરિણામે રિલાયન્સ જીયો, બીએસએનએલ, એરટેલ સહિતની કંપનીઓ હવેી ટેલીફોનીક સર્વિસ ઉપભોગતાને આપી શકશે. ઘણા વિસ્તારો એવા છે જયાં લેન્ડલાઈન કે મોબાઈલ માટે નેટવર્ક નથી આવતું. ઘણા બિલ્ડીંગોમાં પણ મોબાઈલ નેટવર્કની મુશ્કેલી નડતી હોય છે. આવા સંજોગોમાં બ્રોડબેન્ડના માધ્યમથી કોલ કરી શકાશે.

જાણવા મળતી વિગતો મુજબ બ્રોડબેન્ડના માધ્યમથી ટેલીકોમ સર્વિસ વધુ કોસ્ટ ઈફેકટીવ રહેશે. ઈન્ટરનેટ ટેલીફોનીક માટે ખાસ એપ્લીકેશન મળી રહેશે. જેના માધ્યમથી બ્રોડબેન્ડ દ્વારા લેન્ડલાઈન અને મોબાઈલ નંબર ઉપર કોલ કરી શકાશે. નેટવર્ક ન હોય તેવા વિસ્તારમાં આ સુવિધા ખૂબજ મહત્વની બની રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.