Abtak Media Google News

જે કંપનીઓ સામે નાદારીની પ્રક્રિયા ચાલી રહી છે તે કંપનીઓ વતી બેંકોને અંગત ગેરંટી આપનારાઓ વિરુદ્ધ પણ નાદારીની પ્રક્રિયા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વર્ષ 2019 માં જ કેન્દ્ર સરકારે નાદારી સંહિતા (નાદારી કાયદો)માં સુધારો કરીને બાંયધરી આપનારની ભૂમિકા નક્કી કરવા માટે જોગવાઈ દાખલ કરી હતી.

Advertisement

ઈન્સોલવન્સી એન્ડ બેંકરપ્ટસી કોડમાં વ્યક્તિગત બાહેંધરી અંગેની જોગવાઈ સુપ્રીમ કોર્ટે માન્ય રાખી

જો કે, આ જોગવાઈ સામે સેંકડો અરજીઓ દાખલ કરવામાં આવી હતી અને વિરોધ પાછળ બાંયધરી આપનારાઓના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનનો હવાલો આપવામાં આવ્યો હતો. કાયદાકીય મુશ્કેલીમાં અટવાવાને કારણે નાદારીની સેંકડો પ્રક્રિયાઓ પણ અટકી પડી હતી. હવે ગુરુવારે સુપ્રીમ કોર્ટે સરકાર દ્વારા કરાયેલી જોગવાઈઓને યોગ્ય ઠેરવી છે.

ઈન્સોલવન્સી એન્ડ બેંકરપ્ટસી કોડ (આઈબીસી)

નિષ્ણાતો કહે છે કે, આ નિર્ણયથી કંપની પાસેથી લેણાંની વસૂલાતમાં ઘણી સરળતા રહેશે. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી ડિવિઝન બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે આઈબીસીમાં ઉમેરવામાં આવેલી સંબંધિત જોગવાઈ બંધારણની કલમ 14માં સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરતી નથી અને આ જોગવાઈને મનસ્વી ગણી શકાય નહીં.

આ આદેશમાં આઈબીસીની વિવિધ જોગવાઈઓને પડકારતી 391 અરજીઓ પર પણ સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. આઈબીસી પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ જેવી કે કલમ 95(1), 96(1), 97(5), 99(1), 99(2), 100 વગેરે સંબંધિત કાનૂની જોગવાઈઓને પડકારવામાં આવી હતી. અરજદારોની મુખ્ય માંગ એ છે કે કંપની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરતા પહેલા, ગેરન્ટર્સને પણ સાંભળવામાં આવે.

ઘણા કિસ્સાઓમાં જોવા મળે છે કે તેઓ કોર્પોરેટ ક્ષેત્રમાં સ્યુડો ગેરંટી ગોઠવે છે. હવે આમ કરવાથી લોકોનો બચાવ થશે. વર્ષ 2016માં સરકારે આઈબીસી તૈયાર કરી હતી જેથી દેશમાં નાદારીની પ્રક્રિયા કાયદેસર રીતે ઝડપી થઈ શકે. તેનો એક મુખ્ય ઉદ્દેશ્ય બેંકિંગ અને નાણાકીય કંપનીઓમાં અટવાયેલા દેવાને ઘટાડવાનો હતો. કાયદા હેઠળ કોઈપણ કંપનીની નાદારીની પ્રક્રિયા 180 દિવસમાં પૂર્ણ કરવાની જોગવાઈ છે, પરંતુ વર્તમાન સિસ્ટમમાં આ શક્ય નથી. દર વર્ષે આઈબીસી હેઠળ લગભગ 5000 નવા કેસ દાખલ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.